SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્બન્ધમાં પણ એમ જ કહેવું જોઈએ કે આ બધા ચોવીસ દંડકના જીવ કોય, માન, માયા અને તેમના કારણે આઠ કમ પ્રકૃતિને ઉપચય કરે છે. વર્તમાન કાળના સમાન ભવિષ્ય કાળમાં પણ સમુચ્ચય જીવ તથા નારકથી લઈને વૈમાનિકના વીસે દંડકોના જીવ કોધ, માન, માયા અને તેમના કારણે આઠ કર્મપ્રકૃતિયોને ઉપચય કરશે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કેટલા કારણેથી જીવેએ આઠ કર્મપ્રકૃતિને અન્ય કરેલ છે? શ્રી ભગવાન - હે ગૌતમ, ચાર કારણથી એ કર્મની જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકૃતિનો બન્ધ કર્યો છે. તે ચાર કારણ આમ છે. ક્રોધ, માન, માયા અને લેભ જ્ઞાન વરણીય આદિ કર્મ પુદ્ગલના પૂર્વોક્ત રીતથી પોતપોતાના અબાધા કાલના પછી જે નિષિક્ત કરેલા છે, તેમનું પુનઃવિશિષ્ટ કષાય પરિણતિથી નિકાચન થવું તે ખબ્ધન કહેવાય છે. એજ પ્રકારે નારકેથી લઈને વૈમાનિકે સુધી સમજવાં જોઈએ. અર્થાત સમુચ્ચય જીવોને સમાન જ દશ ભવનપતિ આદિ વૈમાનિક દે પર્યન્તના જીવોએ પુનઃ કષાય પરિ ગૃત થઈને ક્રોધ, માન, માયા, અને લેભથી અષ્ટ કર્મ પ્રકૃતિને બંધ કરેલ છે. અન્ય કરે છે અને બન્ચ કરશે. બન્ધનના વિષયમાં સમુચ્ચય છે અને ગ્રેવીસ દંડકના વિશેષ-વિશેષ જીવના વિષયમાં જે પ્રરૂપણ કરાઈ છે. તેજ ઉદીરણાના સમ્બન્ધમાં પણ સમજી લેવી જોઈએ અર્થાત પૂત બધા એ કેધ, માન, માયા અને તેમના કારણે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણ કરી છે. ઉદીરણ કરે છે અને ઉદીરણા કરશે ઉદીરણું નામક કર્મના દ્વારા જે કર્મ ઉદયમાં નથી આવ્યાં, તેમને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરવા તે ઉદીરણ કહેવાય છે. તે ઉદીરણ પણ કિંચિત્ એક વિશેષ પ્રકારની કષાય પરિણતિના કારણે થાય છે. એ અભિપ્રાયથી કહે છે–ચારકારણથી જીવોએ ઉદીરણા કરી છે, કરે છે અને કરશે, કષાય પરિણત સમુચ્ચય જીવે તથા નારકાથી લઈને વૈમાનિકે સુધીના વિશેષ જીએ ઉક્ત ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિનું વેદન કર્યું છે, તેઓ વર્તમાન કાળમાં વેદના કરે છે અને ભવિષ્ય કાળમાં પેદન કરશે. પિતા-પિતાને અબાધાકાળ સમાપ્ત થતાં ઉદયમાં આવેલ અગર ઉદીરણ કરણના દ્વારા ઉદયમાં લાવેલા કર્મને વિપાકને અનુભવ કરવો તે વેદના કહેવાય છે. એજ પ્રકારે નિર્જરાના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ કષાય પરિણત સમુઐય છે તથા નારકથી લઈને વૈમાનિક સુધીના વિશેષ જીવોના ક્રોધ, માન, માયા અને લેભ, આ ચાર કારણથી આવેલ કર્મ પ્રકૃતિની નિર્જરા કરેલી છે. નિર્જર કરે છે અને નિર્જરા કરશે. કર્મ પુદ્ગલ નું વેદના થયા પછી તે કર્મ બની જાય છે, તેને જ નિર્જરા કહે છે અર્થાત ફળ ભેગવ્યા પછી કર્મોનું આત્મ પ્રદેશથી પૃથફ થઈ જવું તે નિર્જરા છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૦૫
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy