________________
થાય છે. તે પ્રદેશ રાશિના અસંખ્યાત વર્ગો મૂળ થાય છે. પ્રથમ વર્ગ મૂળને પણ જે વર્ગમૂળ થાય છે, તે બીજે વર્ગમૂળ કહેવાય છે. એ બીજા વર્ગ મૂળનું વર્ગ મૂળ ત્રીજો વર્ગમૂળ થાય છે. એ પ્રકારે અસંખ્યાત વર્ગમૂળ હોય છે. અહિં કહેવું છે કે પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળની સાથે ગુણવાથી જેટલા પ્રદેશ થાય છે, તેટલા પ્રદેશની સૂચી બુદ્ધિથી કલ્પિત કરી લેવાય. કલ્પિત કરીને વિસ્તારમાં તેને દક્ષિણ ઉત્તરમાં લાંબી સ્થાપિત કરવી જોઈએ. સ્થાપિત કરેલી તે સૂચી જેટલી શ્રેણિને સ્પર્શ કરે છે, તેટલી શ્રેણિયે અહિં ગ્રહણ કરવી જોઈએ. તેઓ આ પ્રકારે છે–એક અંશુલ પરિમિત ક્ષેત્રમાં વાસ્તવમાં પ્રદેશની રાશિ અસંખ્યાત હોય છે. પણ અસત્કલ્પનાથી તેને ર૫૬ માની લેવામાં આવે એ પ્રકારે ૨૫૬ની સંખ્યાને પ્રથમ વર્ગમૂળ (૧૬) થાય છે. બીજે વર્ગમૂલ (૪) થાય છે અને ત્રીજે વર્ગમૂળ (૨) આવે છે. તેમાંથી બીજે વર્ગમૂલ અર્થાત્ ચારને પ્રથમ વર્ગમૂળ અર્થાત્ ૧૬ની સાથે ગુણવાથી (૬૪) સંખ્યા આવે છે. બસ એટલી જ શ્રેણિયે સમજવી જોઈએ,
એજ વાત પ્રકારાન્તરથી પ્રતિપાદિત કરાય છે
અથવા અંગુલના દ્વિતીય વર્ગમૂલના ઘન પ્રમાણ શ્રેણિયે સમજવી જોઈએ આશય એ છે કે એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના દ્વિતીય વર્ગમૂલના અર્થાત અસત્ કલ્પનાથી ચારને જે ઘન હોય તેટલા પ્રમાણ વાળી શ્રેણિયે સમજવી જોઈએ. જે રાશિને જે વર્ગમૂલ હોય તેને રાશિની સાથે ગુણાકાર કરવાથી ઘન થાય છે. જેમકે બે ને ઘન આપ્યું છે. બે રાશિને વર્ગ ચાર છે, તેને એની સાથે ગુણાકાર કરાય તે આઠ સંખ્યા આવે છે. એ રીતે બેનો ઘન આપ્યું છે. અહિં ચારને વગ સેળ છે, તેને ચારની સાથે ગુણાકાર કરાય તે ચારને ઘન આવે છે, એવું કરવાથી પણ તે જ સંખ્યા ૬૪ આવે છે. આ બન્ને પ્રકારમાં કઈ વસ્તુ ભેદ નથી.
અથવા-અંગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિને પિતાના પ્રથમ વર્ગમલની સાથે ગુણાકાર કરવાથી પ્રદેશની જે રાશિ આવે છે. તેટલા જ પ્રમાણવાળી સૂચી જેટલી શ્રેણિને સ્પર્શ કરે છે. તેટલી શ્રેણિયમાં જેટલે આકાશ પ્રદેશ હોય તેટલા જ નારકમાં બદ્ધ ક્રિય શરીર હોય છે. નારક જીવના જે વૈક્રિય શરીર છે, તેમની વક્તવ્યતા નારકેના મુક્ત ઔદારિક શરીરના સમાન સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારક ના શરીર કેટલાં કહેલાં છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! નારકના આહારક શરીર બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે છે- બદ્ધ અને મુક્ત. જેવી નારકના બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરના વિષયમાં પ્રરૂપણ કરેલા છે, તેવી જ પ્રરૂપણ તેમના આહારક શરીરના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ બદ્ધ આહારક શરીર નારકના નથી હોતાં. કેમકે તેઓ આહારક લબ્ધિથી રહિત હોય છે. આ ચતુર્દશ પૂર્વ ધારક મુનિને જ હોય છે. નારકેને નહિ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૬૧