SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આંગળીની અપેક્ષા એ પણ લાંબી-ટુંકી કહેવી તે વિરૂદ્ધ છે, કિન્તુ ભિન્ન-ભિન્ન અપેક્ષાએથી એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ ધર્મના સ્વીકાર કરવામાં કોઈ વિરોધ નથી થતા. (૭) વ્યવહાર સત્ય-વ્યવહારથી અર્થાત્ લેક વિવક્ષાથી જે સત્ય હૈાય તે વ્યવહાર સત્ય ભાષા કહેવાય છે, જેમ-કલિંગ યુદ્ધ કરી રહેલ છે, ખાટલા આક્રોશ કરે છે, બળદ વાહીક છે, ગામ બની ગયુ, ઈત્યાદિ, કલિંગદેશ નિવાસી પુરૂષ યુદ્ધ કરે છે, પણ કલિંગના પુરૂષોને અને કલિંગ દેશને અભિન્ન માનીને એવુ કહેવાય છે કે, કલિંગ યુદ્ધ કરે છે. ખાટલાપર બેઠેલા પુરૂષ આકોશ કરે છે-શેર મચાવે છે. પણ ખાટલે બેઠેલાં પુરૂષને ખાટલાથી અભિન્નમાનીને લેાકમાં આવા વ્યવહાર કરાય છે કે ખાટલે આક્રોશ કરે છે. એ રીતે ગાવાહિક વિગેરેમાં પણ સમજી લેવુ' જોઈ એ. આ પ્રકારના લેકવ્યવહારને ધ્યાનમાં રાખીને સજ્જન પણ આવા પ્રકારની ભાષાના પ્રયાગ કરે છે. આ ભાષા વ્યવહાર સત્ય કહેવાય છે (૮) ભાવસત્ય-ભાવથી અર્થાત્ વ પ આદિથી જે ભાષા સત્ય હાય તે ભાવ સત્ય ભાષા કહેવાય છે. જે ભાવ પદામાં અધિકતા મેળવે છે, તેના આધાર પર પરભાષાના પ્રયોગ જણાય છે. એવી ભાષા ભાવસત્ય કહેવાય છે જેમ પાંચ ર'ગેહેાવા છતાં મલાકા (મંગલાની પ`ક્તિ) ને શ્વેત કહેવાં (૯) ચેગસત્ય-યોગના અ છે સમ્બન્ધ. તેનાથી જે ભાષા સત્ય હોય તે ચેગસત્યભાષા કહેવાય છે. જેમ-ઇત્રના ચેાગથી કેાઈ ને છત્રી' કહેવા, ભલે કેાઈ વખતે છત્રના ચેગ તેમાં ન હાય, એજ રીતે કાઈ ને દઉંડના ચેાગથી દડી' કહેવા. (૧૦) ઔપમ્યસત્ય-જે ભાષા ઉપમાંથી સત્ય મનાય જેમકે-ગવય(રાઝ) ગાયના સમાન હાય છે. આ પ્રકારની ઉપમા પર આશ્રિત ભાષા ઔપમ્યસત્ય કહેવાય છે. હવે શિષ્યજનાના અનુગ્રહમાટે સંગ્રહણી ગાથા કહે છે (૧) જનપદ્મસત્ય (૨) સમ્મતસત્ય (૩) સ્થાપનાસત્ય (૪) નામસત્ય (પ) રૂપસત્ય (૬) પ્રતીત્યસત્ય (૭) વ્યવહારસત્ય (૮) ભાવસત્ય (૯) ચેગસત્ય (૧૦) અને ઓપસ્યસત્ય આ દશ પ્રકારની સત્યભાષા છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેન્હે ભગવન્ ! પર્યાસિકા મૃષા ભાષા કેટલા પ્રકારની કહેલી છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! તે પણુ દશ પ્રકારની કહેલી છે તે દશ પ્રકાર આમ છે (૧) ક્રોનિતા અર્થાત્ ક્રોધથી નીકળેલી અગર કોધના આવેશમાં ખેલેલી ભાષા ક્રોધિનેસ્તા કહેવાય છે. ક્રોધને વશ થયેલા માણસ વિસંવાદની બુદ્ધિથી જે સત્ય અગર અસત્ય ખાલે છે, તે બધી મૃષા ભાષા સમજવી જોઈ એ, કેમકે તેના આશય દુષિત થાય છે. ઘુણાક્ષર ન્યાયથી તે કદાચિત્ સત્યભાષણ કરે તેા પણ આશયની દૂષિતતાના કારણે તેની ભાષા મૃષા જ છે. (૨) માનનિત-જે ભાષા માનપૂર્વક ખેલાય તે માનનિત કહેવાય છે જેણે પહેલા ક્યારેય અશ્વ ના અનુભવ ન કર્યાં હાય તે માણસ અગર પોતાની મોટાઈ પ્રગટ કરવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૦૯
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy