SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભગવન તીર્થને તીર્થ કહે છે અથવા (અગર) તીર્થકરને તીર્થ કહે છે? હે ગૌતમ ! અરિહંત ભગવાન (નિયમથી) તીર્થકર છે અને ચાર પ્રકારને શ્રમણ સંધ (સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા) અથવા પ્રથમ ગણધર તીર્થ છે. આ તીર્થની સ્થાપના થઈ ગયા બાદ જે જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેઓ તીર્થ સિદ્ધ કહેવાય છે. (૨) અતીર્થ સિદ્ધ-તીર્થને અભાવ અતીર્થ કહેવાય છે. તીર્થને અભાવ બે પ્રકારે થાય છે-તીર્થની સ્થાપના જ ન થઈ હોય અથવા સ્થાપના થયા પછી કાળાન્તરે તેને વિછેદ થઈ ગયે હય, આવા અતીર્થકાળમાં જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી તેઓ અતીર્થ સિદ્ધ છે. તીર્થની સ્થાપનાથી પૂર્વ મરૂદેવી વિગેરેએ સિદ્ધિ પ્રાપ્ત કરી. સુવિધિનાથ વિગેરે તીર્થકરના વચગાળાના સમયમાં તીર્થને વિચછેદ થયા હતા તે સમયમાં જાતિ સ્મરણ વિગેરે દ્વારા જેઓએ સિદ્ધિ મેળવી તેઓ તીર્થ વ્યવ છેદ સિદ્ધ કહેવાયા. આ બંને પ્રકારના સિદ્ધ અતીર્થ સિદ્ધ છે. (૩) તીર્થકરસિદ્ધ-જેઓ તીર્થકર બનીને સિદ્ધ થાય છે. તેઓ તીર્થકર સિદ્ધ કહેવાય છે, જેમકે આ અવસર્પિણી કાળમાં રૂષભદેવથી તે શ્રીવર્ધમાન સ્વામી સુધી ૨૪ તીર્થકરે છે. (૪) અતીર્થકરસિદ્ધ-જેઓ સામાન્ય કેવલી બનીને સિદ્ધ થાય છે. તેઓ અતીર્થકર સિદ્ધ કહેવાય છે. (૫) સ્વયંબદ્ધસિદ્ધ-જેઓ પરોપદેશ વિના પિતે જ સંસારના સ્વરૂપને સમજીને સિદ્ધ થાય છે તે સ્વયંબુદ્ધસિદ્ધ છે. () પ્રત્યેકબુદ્ધસિદ્ધ-જેઓ પ્રત્યેક બુદ્ધ બનીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેક અદ્રસિદ્ધ છે. પ્રત્યેક બુદ્ધ પણ પપદેશોના વિના સિદ્ધ થાય છે; પરંતુ તેઓમાં અને સ્વયં બુદ્ધમાં અનન્તર છે. તે આ કે સ્વયં બુદ્ધસિદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ બાહ્ય કારણ વિનાજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૫૮
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy