SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દેના સ્થાન કયાં કહેલાં છે? આ પ્રશ્નને પ્રકારાન્તરથી પૂછવામાં આવે છે દાક્ષિણાત્ય પિશાચ દેવ ક્યાં નિવાસ કરે છે ? શ્રી ભગવાન મહાવીર પ્રભુ ઉત્તર આપે છે-હે ગૌતમ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની દક્ષિણ બાજુએ, આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર એજન વિસ્તારવાળા રતનમય કાર્ડના ઊપર તથા નીચેના એક એક સે જન ભૂ ભાગને છોડીને મધ્યના આઠ સે યજમાં દાક્ષિણાત્ય પિશાચ દેવેન તિર્યફ લોકમાં અસંખ્ય લાખ નગરાવાસે છે. તેવું મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે. આ નગરવાસેનું વર્ણન તેવું જ સમજી લેવું જોઈએ કે જેવાં સમુચ્ચય વનવ્યતાના નગરાવાસનું વર્ણન પહેલાં કરેલું છે. તે બહુરથી ગોળાકાર છે અંદરથી ચરસ અને નીચેથી કમળની કર્ણિકાના આકારની છે. તેઓનું અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી ખાઈઓ અને પરિખાઓથી યુક્ત છે. પ્રાકારે, અટ્ટાલકે કપાટ, તોરણે અને પ્રતિદ્વારથી યુકત છે. યંત્ર, શતક્તિ, મશલ, અને મુસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે, તે કારણે શત્રુઓ દ્વારા અયો છે. અને તે કારણથી સદા જયશીલ છે. સદા સુરક્ષિત છે. તેમાં અડતાલીસ કોઠાઓની રચના કરેલી છે. અને તેઓ અડતાલીસ વનમાળાઓને ધારણ કરે છે. તેઓ નિરૂપદ્રવ તથા મંગલ મય છે. તથા કિંકર દેના દંડાઓ થી રક્ષિત છે. લિ પલ ઘૂં પેલ હોવાથી અશસ્ત છે. ગાયન તથા સરસ લાલ ચન્દનના થાપા ત્યાં દિઘેલા હોય છે કે જેમાં પાંચે આંગળીઓ ઉપસી આવેલી હોય છે. મંગલ કલશેથી યુકત છે. ચન્દન ચર્ચિત ઘડાઓના સુન્દર તોરણ પ્રતિદ્વાર પર બનેલાં હોય છે. ઉપરથી નીચે સુધી લાંબી લટકતી વિશાલ તેમજ ગળાકાર પુષ્પમાળાઓનો સમૂહથી સુશોભિત છે. પાંચ રંગના સુગંધિત પુના સમૂહ ત્યાં વિખરેલા પડયા હોય છે. કૃષ્ણ અગરૂ, ચીડા તથા લેખાનથી મહેકતા ધૂપના સમૂહથી અત્યન્ત રમણીય હોય છે. ઉત્તમ સુગન્ધથી સુગસ્થિત તેમજ સુગંધની ગોટી જેવું છે. અસરાઓ ના સમૂહના સમૂહથી વ્યાસ દિવ્ય વાદ્યોના વિનિથી ગુંજતા પતાકાઓની માળાઓને કારણે અભિરમણીય. સર્વરત્નમય સ્વચ્છ ચિકણું, સુકેમલ ઘાટમાટરવાળા, નિર્મળ, નિષ્પક, નિરાવણ છાયાવાળા પ્રભાયુકત, શ્રી સંપન્ન, કિરણોથી યુકત પ્રકાશે પેત પ્રસન્નતા જનક દશનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. આ પ્રદેશમાં દક્ષિણ દિશાના પર્યાય તથા અપર્યાપ્ત પિશાચ દેના સ્વાસ્થાન કહેલાં છે. એ સ્થાને સ્વસ્થાન, ઉપપત. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૨૬૮
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy