SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, દર્શન અને ચારિત્રને આય અર્થાત્ લાભ સમાય કહેવાય છે. અને સમાય એજ “સામાયિક છે એનું તાત્પર્ય છે સાવદ્ય કૃત્યથી વિરત થવું. સામાયિકના બે ભેદ છે-ઇવર અને યાત્કાથિક. ભરત અને અરવત ક્ષેત્રોમાં. પ્રથમ અને ચરમ તીર્થકરના તીર્થમાં જેણે મહાવ્રતનું આરોપણ ન કર્યું હોય એવા શિક્ષનું ચારિત્ર ઈવર સામાયિક ચારિત્ર કહેવાય છે. યાવસ્કથિક સામાયિક ચારિત્ર દીક્ષા ગ્રહણ કાળથી લઈને જીવન પર્યત હોય છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના વચલાં બાવીસ તીર્થકરો તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને હોય છે, કેમકે તેઓનું ઉપસ્થાન નથી હોતું અર્થાત્ એમને બીજીવાર દીક્ષા નથી અપાતી. કહ્યું પણ છે-આ ચારિત્ર સામાયિક છેદો પસ્થાનિક આદિ વિશેષણથી વિશિષ્ટ બનીને અનેક પ્રકારના બની જાય છે. કિન્તુ સામાન્ય રૂપે સામાયિક ચારિત્ર જ છે ૧ સામાયિકને અર્થ છે સાવધ ગ ત્યાગ. સામાયિકના બે ભેદ છેઈરિક અર્થાત્ અલ્પકાલિક અને યાવતકથિક અર્થાત્ જીવન પર્યન્તની. ઈત્પરિક સામાયિક ચારિત્ર પ્રથમ અને અન્તિમ તીર્થંકરના શાસનમાંજ જેમા મહાવ્રતનું આરે પણ ન કર્યું હોય એવું શિક્ષને અપકાલિક હોય છે. બાકીના અર્થાત મધ્યવતી બાવીસ તીર્થકરોના તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના શાસનમાં યાવર્કથિક સામાયિક ચારિત્ર થાય છે કે ૨-૩ છે પ્રશ્ન-ભગવદ્ ઇત્વરિક સામાયિક પણ (fમ મતે ! સામારૂાં નાઝીવં) અર્થાત્ હે ભગવદ્ ! જીવન પર્યન્ત સામાયિક અંગીકાર કરૂંછું આવા પ્રકારની પ્રતિજ્ઞા સાથે અંગીકાર કરાય છે. ત્યાર પછીથી ઉપસ્થાપના (મહા ઘતારોપણ) સમયે તેને પરિત્યાગ કરી દેવાથી પ્રતિજ્ઞા ભંગને દેષ કેમ નથી લાગતું ? સમાધાન–આ સમગ્ર ચારિત્ર સામાન્ય રૂપે સામાયિક જ છે, કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૧૭૪
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy