________________
છે. આવા દર્શનથી જે આર્ય છે તેઓ સરાગ દર્શનાર્ય કહેવાય છે. જે દર્શન રાગ અર્થાત્ કષાય રહિત છે તે વીતરાગ દર્શન કહેવાય છે. તેના કારણે જે આર્યો છે તેઓ વીતરાગ દર્શનાર્ય છે.
મનુષ્ય બે રીતે વીતરાગ કહેવાય છે એકતા કપાયને ઉપશમ થવાથી, બીજે ક્ષય થવાથી. આ બન્નેનું દર્શન તે વીતરાગ દર્શન કહેવાય છે.
સરાગદશનાય કેટલા પ્રકારના હોય છે? - આ પ્રશ્નને શ્રી ભગવાને ઉત્તર આપે છેસરાગ દર્શનાર્ય દશ પ્રકાર ના હોય છે. જેઓ આ પ્રમાણે છે
(૧) નિસર્ગરૂચિ નિસર્ગ અર્થાત્ સ્વભાવથી જ અહંન્ત ભગવાન દ્વારા ઉપદિષ્ટ આગમ તત્વની પ્રત્યે રૂચિ અર્થાત્ અભિલાષા થવી તે નિસર્ગ રૂચિ કહેવાય છે.
(૨) ઉપદેશ રૂચિ-આચાર્ય તેમજ ગુરૂ વિગેરેના ઉપદેશથી પૂર્વોક્ત રૂચિ નું ઉત્પન્ન થવું.
(૩) આજ્ઞારૂચિ-આજ્ઞા અર્થાત્ સર્વજ્ઞ વાણી ઉપર જેમની રૂચિ હોય તે આજ્ઞારૂચિ. અહંતની આજ્ઞાજ મારે માટે મંત્ર છે, અન્ય કોઈ પ્રક્રિયાઓ નહીં એવું જે માને છે તે આજ્ઞારૂચિ કહેવાય છે.
(૪) સૂત્રરૂચિ-આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ સૂત્ર અને આવશ્યક દશ વૈકાલિક આદિ અંગ બાહ્ય સૂત્રેના કારણે ઉત્પન્ન થવાવાળી રૂચિ સૂત્ર રૂચિ છે
તાત્પર્ય એ છે કે આ ચાર અંગપ્રવિષ્ટ અને આવશ્યક આદિ અંગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતા કરતા સમ્યકત્વને પામીને જે પ્રસન્ન અને પ્રસન્ન તર અધ્યવસાય થાય છે, તેને સૂત્રરૂચિ કહે છે.
(૫) બીજરૂચિ—બીજની જેમ એક પદ પણ જેને માટે અનેક અર્થોનું બેધક હોય તે બીજ રૂચિ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૬૦