SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ એકસે દસ પામની કાયસ્થિતિને કાળ સાબિત થઈ જાય છે. “Iदेसेणं जहण्णेणं एक्कं समय उक्कोसेणं अद्वारस पलिओवमाइं पुव्वकोडी पुहुत्त. મદમહિયારું કેઈ એક કથનની અપેક્ષાથી સ્ત્રીવેદની કાયસ્થિતિને કાળ જઘન્યથી તે એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પ્રથફત્વ અધિક ૧૮ અઢાર પલ્યોપમને છે. તે આ રીતે સમજવો જોઈએ જેમ કે-કઈ જીવ પૂર્વકેટિ પ્રમાણુની આયુષ્ય વાળી પુરૂષ સ્ત્રીના રૂપથી અથવા તિર્યંચ સ્ત્રી પણાથી પાંચ અથવા છ વાર ઉત્પન્ન થઈ જાય તે પછી ત્યાંથી મરીને તે ઈશાનદેવ લેકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિ વાળી પરિગૃહીત દેવિ પણાથી ઉત્પન્ન થઈ જાય તે આ કથનકારના મતથી આ વેદની કાયસ્થિતિને કાળ પૂર્વોકત પણાથી સિદ્ધ થઈ જાય છે. ત્રીજી આદેશની અપેક્ષાથી આ વેદની કાયસ્થિતિને કાળ જઘન્યથી તો એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી “પવિમારું પુદ્ગોરિ પુત્ત મહિચારું પૂર્વકેટિ પૃથફત્વ અધિક ૧૪ ચૌદ પાપમાને છે. તે આ રીતે સમજવું–પૂર્વકેટિની આયુષ્યવાળી પુરૂષ સ્ત્રી અથવા તિયચ સ્ત્રીના રૂપથી કઈ જીવ પાંચ અથવા છ વાર ઉત્પન્ન થઈ જાય અને તે પછી ત્યાંથી મરીને તે સૌધર્મ દેવલોકમાં ત્યાંની પરિગૃહીત દેવિમાં કે જેમનું આયુષ્ય ઉત્કૃષ્ટ પણથી સાત પલ્યોપમનું છે, તેમાં બે વાર ઉત્પન્ન થઈ જાય તે આ ત્રીજા પક્ષ વાળાના મતથી આ કાયસ્થિતિને પૂર્વોક્તકાળ સિદ્ધ થઈ જાય છે. ચોથા આદેશની અપેક્ષાથી સ્ત્રી વેદની કાયસ્થિતિને કાળ જઘન્યથી એકસમયને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકટિ પૃથક્વ અધિક ૧૦૦ એકસો પાપમાને છે. તે આ પ્રમાણે છે–પૂર્વકેટિની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં અથવા તિર્યચ સ્ત્રિોમાં કોઈ જીવ પાંચ અથવા છ વાર ભને ધારણ કરીને પહેલાં કહેવામાં આવેલ રીત પ્રમાણે સૌધર્મ દેવકની ૫૦ પચાસ પોપમ પ્રમાણ ની ઉત્કટ આયુષ્ય વાળી અપરિગૃહીત દેવિયેમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ ચોથા આદેશવાદિના મત પ્રમાણે આ વેદની કાયસ્થિતિને પૂર્વોક્ત ઉત્કૃષ્ટ કાળ સિદ્ધ થઈ જાય છે. પાંચમાં આદેશની અપેક્ષાથી એ વેદની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પ્રથકૃત્વ અધિક પલ્યોપમ પ્રથકૃત્વને છે. તે આ રીતે છે-જેમ કોઈ જીવ પૂર્વ કેટિની આયુષ્યવાળી તિયચ સ્ત્રિમાં અથવા મનુષ્ય સ્ત્રિમાં સાત ભવ પર્યન્ત ઉત્પન્ન થઈને પૂર્વોક્ત કમ પ્રમાણે આઠમા ભાવમાં ત્રણ પાપમની સ્થિતિ વાળી દેવકુરૂ વિગેરેની સ્ત્રિમાં સ્ત્રી પણાથી ઉત્પન્ન થઈ જાય છે અને જીવાભિગમસૂત્ર ૪૩૭.
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy