________________
કાયિક ૭, ત્રસકાયિક ૮, નિગોદ ૯, અને બાદર નિગદ ૧૦, આ દસેની અપર્યાપ્તાવસ્થાની સ્થિતિ સૂત્રકાર પ્રગટ કરે છે. “અન્નત્તાi સહિં સંતોમુદ્ર” આ સૂત્ર પાઠથી તેણે એવું કહે છે કે-આ બધા જ્યારે અપર્યાપ્તાવસ્થા વાળા હોય છે. ત્યારે તેઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતમુહૂર્તની જ હોય છે. “Tન્નત્તi saોસિયા બંતોમુદુર્UT વેવ્વા સર્વે હિં અને જ્યારે તેઓ પર્યાપ્ત અવસ્થા વાળા હોય છે. ત્યારે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત કમ કરીને આ પ્રમાણે સમજવી.-સામાન્ય બાદર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતમુહૂત કમ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. અહીયાં જે એક અંતર્મુહૂર્ત કમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં કર્યું છે. તે તેની જઘન્ય સ્થિતિનું અંતમુહૂત કમ કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે બાદર પૃથ્વીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૨૨ બાવીસ હજાર વર્ષની કહી છે તેમાંથી અપર્યાપ્ત દશાભાવી એક અંતમુહૂર્ત કમ કરેલ છે. અર્થાત્ એક અંતર્મુહૂર્ત કમ ૨૨ બાવીસ હજાર વર્ષની પર્યાપ્ત બાદર પૃથ્વી કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલ છે. બાદર અષ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેમજ પર્યાપ્ત બાદર અષ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ સાત હજાર વર્ષની છે. બાદર તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ ત્રણ રાત દિવસની છે. તે આમાંથી એક અંતમુહૂર્ત ઓછું કરવાથી પર્યાપ્તક બાદર તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ ૩ ત્રણ રાત દિવસની છે બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ ત્રણ હજાર વર્ષની છે. તે એ રીતે એક અંતર્મુહૂર્ત કમ કરવાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે. બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે. તેમાંથી એક અંતમુહૂર્ત કમ કરવાથી આ સ્થિતિ પર્યાપ્તક બાદર વન સ્પતિકાયિકની થઈ જાય છે. પ્રત્યેક બાર વનસ્પતિકાયિકની સ્થિતિમાંથી પણ એક અંતમુહૂર્ત કમ કરવાથી પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે. સમુરચય નિગોદ પત્ની અને બાદર નિગોદ પર્યાપ્ત
જીવાભિગમસૂત્ર
૩૬૩