SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષાથી જનના ત્રીજા ભાગથી કમ આઠ જનની છે, તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય શું પૂર્વોકત વિશેષણવાળું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ ! તે પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે. હે ભગવન તમતમપ્રભા પ્રવીમાં જે ઘોદધિ વલય છે, કે જેની વિશાળતા તિર્થ બાહલ્ય પણાથી પૂર આઠ જનની છે, તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય, પૂર્વોક્ત વિશેષણોવાળું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગૌતમ ! તે પૂર્વોક્ત વિશેષણવાળું હોય છે. હવે ઘનવાતનું સ્વરૂપ સૂત્રાકાર પ્રગટ કરે છે. “રૂપાનં મને ! સાળમાણ gઢવી શખવાચવટચ' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે ઘનવાતવલય છે, કે જે ની વિશાળતા ૪ સાડા ચાર એજનની છે, તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે તેમાં રહેલ દ્રવ્ય, બધા પ્રકારથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત પરિમંડલ વિગેરે સંસ્થાનેથી પરિણત તથા અન્ય સંબદ્ધ વિગેરે વિશેષણ યુકત થઈને પરસ્પર સમુદાય પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમવામીને કહે છે કે “દંત ગરિથ” હા ગૌતમ ! તેઓ એ પૂર્વોક્ત વિશેષ વાળા હોય છે. “ga નાવ ગહે સત્તમા નં ૪૪ વા એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પર્યન્ત તેના આશ્રિત જે ઘનવાત વલય છે, કે જેની તિર્યબાહલ્યની અપેક્ષાથી જેટલી વિશાળતા હોય તેટલી સમજી લેવી. જેમકે શક પ્રભા પૃથ્વીમાં એક ગાઉ ઓછા પાંચ યોજનની છે વાલુકાપ્રભા પૃથ્વીમાં પાંચ જનની વિશાળતા છે. પંકપ્રભા પૃથ્વીમાં એક ગાઉ અધિક પાંચ યોજનની છે. ધૂમપ્રભા પૃથ્વીમાં સાડા પાંચ જનની છે. તમઃ પ્રભા પૃથ્વીમાં એક ગાઉ કમ છ જનની છે. અને તમસ્તમભામાં પૂરા છે , એજનની વિશાળતા છે. તેને ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં તેમાં રહેલા દ્રવ્યો બધા પ્રકારના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શોથી યુકત તથા પરિમંડલ વિગેરે સંસ્થાનોથી પરિણત અને અન્ય સંબદ્વાદિ વિશેષણોથી યુકત પરસ્પરમાં સમુદાય પણાથી રહે છે. તેમ સમજવું. ___ एवं तणुवायवलयस्स वि जाव अहे सत्तमाए जौं जस्स बाहाल्ल'२ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી સુધીમાં તે તે પૃથ્વીના આશ્રિત ઘનેદધિ અને ઘનવાત કે જે પોત પોતાના બાહલ્યથી યુકત છે. તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલા દ્રવ્યને વર્ણાદિથી યુકત હોવાનું કહેલ છે. એ જ પ્રમાણે રતનપ્રભા પૃથ્વીથી લઈને સાતમી તમસ્તમાં પ્રભા પૃથ્વી પર્યન્ત પિતપોતાના બાહલ્યથી યુકત તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરેલા તનુવાત વલયમાં રહેલા દ્રવ્યાનું પણ વદિવાળા હોવાનું સમજવું જેમ તનુવાતની વિશાળતા પહેલી પૃથ્વીમાં છ ગાઉની કહી છે, બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં એક ગાઉના ત્રીજા ભાગ સહિત છ ગાઉની કહેલ છે. જીવાભિગમસૂત્ર ૨૫
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy