SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. એ વાત લક્ષમાં રાખીને કહે છે કે “ મા! વયાણ સાકર' છે ગૌતમ! મેં જે એવું કહ્યું છે કે એ પદ્મવરવેદિક કથંચિત શાશ્વત છે આ કથન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કરવામાં આવેલ છે. પર્યાયાર્થિક નયથી નહી. વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક છે. દ્રવ્યની અપેક્ષાથી તે દ્રવ્યાર્થિક છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પર્યાયાત્મક છે. દ્રવ્યાર્થિક નયવસ્તુમાં પર્યાયને ગૌણ કરીને કેવળ દ્રવ્યને જ વિષય કરે છે. દ્રવ્ય ત્રિકાલવર્તી અન્વયી પરિણામ વાળું હોય છે. નહીતર તેમાં દ્રવ્ય પણું જ ન રહે અન્વયી હોવાથી જ તે પિતાના મૌલિક્ષણાને છેડતું નથી. જેમકે ગંગા સિંધુને પ્રવાહ પિતાના મૌલિક પણને છેડતું નથી. તેથી દ્રવ્યાકિ નયના મતથી પદ્મવર વેદિકા શાશ્વતી છે અને ‘asળવડા િધવકવેહિં રસજાવેલિં" વર્ણ પર્યાની અપેક્ષાએ ગંધપર્યાની અપેક્ષાએ રસપર્યાની અપેક્ષાએ તથા સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ તથા બીજા પુગલોના વિઘટન અને આગમનની અપેક્ષાથી તે આશાશ્વતી છે. એનું તાત્પર્ય એવું છે કે પર્યાયાર્થિક નયના મત પ્રમાણે દ્રવ્ય ગૌણ થઈ જાય છે. અને પર્યાય મુખ્ય થઈ જાય છે. અને પર્યાયો પ્રતિક્ષણે પરિવર્તન રૂ૫ અર્થાત બદલાઈ જવાવાળા હોવાથી અથવા કિયત્કાલ ભાવી હોવાથી વિનાશ ધર્મવાળા હોય છે. તેથી તે અપેક્ષાથી તે અશાશ્વતી કહેલ છે. અને તેના જોવા ! હં ગુરૂ પિચ સાચા રિચ કાચા' તે કારણથી હે ગૌતમે! મેં એવું કહ્યું છે કે પદ્મવર વેદિકા કથંચિત્ નિત્ય છે અને કથંચિત અનિત્ય છે. જે દ્રવ્યાર્થિક નયવાદી છે તે પિતાનામતનું સમર્થન કરવા માટે એવું કહે છે કે જે અત્યંત અસત સ્વરૂપ હોય છે, તેને આકાશ કુસુમની માફક કયારેય ઉત્પાદ થતું નથી અને જે સત્ય સ્વરૂપ હોય છે તેને આકાશની માફક કયારેય વિનાશ થતો નથી, “નારો વિશે માવો નામાવો વિદ્યારે સત્ત: એ પ્રમાણે સિદ્ધાંત વચન છે. તે પણ દરેક વસ્તુમાં જે ઉપાદ અને વિનાશ દેખાય છે તે આવિર્ભાવ તિભાવ રૂપજ છે. જેમ ઉત્પાદ અને વિનાશ રૂપ આવિર્ભાવ તિભાવ સર્પનો ઉત્કૃણ –ફણે ફેલાવે ત્યારે અને વિફણ ફણ સંકેચીલે ત્યારે પ્રતીત થાય છે. જેથી એજ સિદ્ધાંત બરાબર છે કે સઘળી વસ્તુઓ નિત્ય છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયની આ માન્યતામાં એ સંદેહ થાય છે કે ઘટાદિની જેમ આ પદ્મવર વેદિક શાશ્વતી છે? અથવા સર્વદા સકળ કાળમાં એ એજ રૂપે રહેવાના કારણે શાશ્વતી છે? આ રીતનો સંદેહ થવાથી શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને આ પ્રમાણેને પ્રશ્ન પૂછેલ છે કે “૩મવર વેળા જે મરે! Iો દિવ દો હે ભગવન પમવર વેદિક કાળની અપેક્ષાએ ક્યાં સુધી આ પ્રમાણેની રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી શ્રીગૌતમસ્વામી કહે છે કે “ોરના ! વાવ ની જ યાવિ ગરિથ ચાવિ ા અવિરતર હે ગૌતમ ! આ પદ્મવર વેદિકા પહેલા ન હતી તેમ નથી. જીવાભિગમસૂત્રા ૨૪૫
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy