SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વાળા હોવાથી ઉપરિતન દેવ સંખ્યાતગણું વધારે હોય છે. અલપ બહુપણાના સંબંધમાં આ પ્રમાણેની ભાવના કરી લેવી જોઈએ. ઉપરિતન વૈવેયક દેવ પુરૂષ કરતાં મધ્યમ રૈવેયક દેવ પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે. મધ્યમ ગ્રેવેયક દેવપુરુષો કરતાં અધિસ્તન રૈવેયક પ્રસ્તટના દેવપુરુષો સંખ્યાતગણું વધારે હોય છે. અધસ્તન રૈવેયક દેવ પુરૂષો કરતાં અચુત કલ્પના દેવપુરુષો સંખ્યાતગણું વધારે હોય છે. અશ્રુતક૯૫ના દેવ પુરૂષો કરતાં આરણકલપના દેવ પુરૂષો સંખ્યાતગણી વધારે હોય છે. શંકા-આરણ અને અમ્યુતક૯૫ આ બન્ને કલ્પ સમક્ષણ વાળા અને સરખી વિમાન ની સંખ્યાવાળા છે. તે પણ અમ્યુકલ્પ કરતાં આરણ કલ્પના દેવ પુરુષમાં સંખ્યાતગણું અધિકપણું આપ કેવી રીતે કહે છે ? ઉત્તર–અહિયાં જે વાત કહેવામાં આવી છે, તેનું કારણ એ છે કે-કૃષ્ણપાક્ષિક જ તથાવિધ સ્વભાવથી દક્ષિણ દિશામાં અધિક પણથી ઉત્પન્ન થાય છે. તેથી અશ્રુતકલ્પના દેવ પુરૂષો કરતાં આ આરણ ક૯૫ના દેવપુરુષો વધારે કહ્યા છે. તે કૃષ્ણ પાક્ષિક કોણ છે? આ સંબધમાં કૃષ્ણપાક્ષિકનું સ્વરૂપ બતાવવામાં આવે છે–જીવ બે પ્રકારના હોય છે. એક શુકલપાક્ષિક અને બીજા કૃણુ પાક્ષિક, તેમાં જેઓને –સંસાર કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્તા માત્ર બાકી રહે તે શુકલ પાક્ષિક છે. અને તેનાથી જુદા જે દીર્ઘ સંસારી જ હોય છે, તેઓ કૃષ્ણ પાક્ષિક હોય છે. જેમ કહ્યું છે કે “રિમા ઈત્યાદિ અર્થાત જેઓને સંસાર અપાઈ પુદ્ગલ બાકી રહે છે, તેઓ શુકલ પાક્ષિક અને તેનાથી વધારે સંસાર બાકી રહે છે, તેઓ કૃષ્ણ પાક્ષિક કહેવાય છે. તેથી અલ્પ સંસારી હોવાના કારણે શુકલ પાક્ષિક છેડાજ હોય છે. પરંતુ કૃષ્ણ પાક્ષિક વધારે હોય છે. કેમકે દીઘ સંસારી અનંતાનંત હોય છે. પ્રશ્ન--આ વાત કેવી રીતે જાણી શકાય કે--કૃષ્ણ પાક્ષિક દક્ષિણ દિશામાં અધિક પણાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- તેઓને સ્વભાવજ એ હોય છે, કેમકે--કૃષ્ણ પાક્ષિક દીર્ઘ સંસારી હોય છે. દીર્ધ સંસારી જીવ ઘણું પાપના ઉદયથી થાય છે. ઘણા પાપના ઉદયવાળા છ ક્રૂર કર્મ કરવા વાળા હોય છે. અને કૂર કર્મ કરનારા જે પ્રાયઃ તથાવિધ સ્વભાવથી તદ્દભવ સિદ્ધિ વાળા પણ દક્ષિણ દિશામાં જ ઉત્પન્ન થાય છે. જેમ કહ્યું પણ છે કે –“મિદ કૂવામા” ઈત્યાદિ આને અર્થ ઉપરના કથનમાં આવી જાય છે. - દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિક છે ઘણું હોવાથી અશ્રુત કલ્પના દેવપુરૂષો કરતાં આરણ ક૯૫ના દેવપુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે- આપણુક૯૫ દક્ષિણ દિશાને દેવક છે. આરણક૯૫ના દેવપુરૂષો કરતાં પ્રાણુતકલ્પના દેવપુરૂષ સંખ્યાતગણુ વધારે હોય છે. પ્રાણુતકલપના દેવપુરૂષ કરતાં આનત કલ્પના દેવપુરુષો સંખ્યાત ગણું વધારે હોય છે. અહિયાં એમ સમજવું જોઈએ કે ઉત્તર દિશાના દેવલોકમાં રહેલા દેવ પુરૂષો કરતાં જીવાભિગમસૂત્ર ૧૫૪
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy