SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષોની જઘન્ય સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ અઢાર સાગરે પમની છે, આનતકલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ ૧૮ અઢાર સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરેપની છે. આરકલ્પના દેવ પુરુષોની જઘન્ય સ્થિતિ ૨૦ વીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે અશ્રુત કલ્પના દેવપુરુષની જઘન્ય સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. અધસ્તનાધસ્તન શૈવેયકના દેવ પુરુષની જઘન્ય સ્થિતિ તેવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એવી સાગરોપમની છે. અઘસ્તન ઉપરિતન ગ્રેવેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. મધ્યમાધસ્તન વેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ પચીસ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ રિથતિ છવ્વીસ સાગરોપમની છે. મધ્યમ રૈવેયક દેવપુરુષની જઘન્ય સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. મધ્યમ પરિતન વેયક દેવપુરુષની જઘન્ય સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઠયાવીસ સાગરેપની છે. ઉપરિતનાધસ્તન રૈવેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવ પુરુષોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની છે ઉપરિતને પરિતન ગ્રેચક દેવપુરૂષની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. વિજ્ય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગર૫મની છે. અને મધ્યમ બત્રીસ સાગરેપની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપની છે. સવાર્થ સિદ્ધ મહાવિમાનમાં રહેવાવાળા દેવપુરુષોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બન્ને પ્રકારથી તેત્રીસ સાગરોપમની છે. આ ક્રમ પ્રમાણે દેવ પુરુષોની સ્થિતિ સંબંધી વકતવ્યતા અસુર કુમારથી લઈને સર્વાર્થસિદ્ધ દેવ પુરુષો સુધી કહેવી જોઈએ. - પુરુષોની ભવસિદ્ધિનું પ્રમાણ કહીને હવે સૂત્રકાર એ બતાવે છે કે – પુરુષ પુરુષપણાને કેટલા કાળ પર્યત છેડ્યા વિના નિરંતર પુરુષ બની રહે છે “g of ઐરે! પુત્તિ ૪ો દેવદિશ્વર રો” હે ભગવન પુરુષ પિતાના પુરુષપણાને કેટલા કાળ સુધી ત્યાગ કરતા નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી કહે છે કે “જોયા ! નદvor તો મુદુર ૩જોસે વાજતેવપુદુરં સાતિ”હે ગૌતમ! પુરુષ પિતાના પુરુષપણાને ત્યાગ ન કરે તે તે જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી તે કંઈક વધારે બે સાગરેપમથી લઈને નવ સાગરોપમ સુધી ત્યાગ કરતા નથી. કેમકે – આટલા કાળ સુધી તે નિરંતર તિર્યકુ નર અમર આ ભવમાં પુરુષપણથી જ ઉત્પન્ન થતા રહે છે અહિયાં સાતિરેક પણું કંઈક અધિક કહેલ છે. તે કેટલાક મનુષ્ય ભવાની અપેક્ષાથી સમજી લેવું જીવાભિગમસૂત્ર ૧૪૪
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy