SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અહીં ભાવમંગળને અધિકાર છે. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓને ભગવતીની પ્રમેયચન્દ્રિકા ટીકા વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. દ્વીપ, સમુદ્ર આદિમાં સ્વરૂપનું જે કથન છે, તે મધ્યમંગળ છે, કારણ કે નિમિત્તશાસ્ત્રમાં દ્વીપાદિકેને પરમ મંગળરૂપ કહ્યા છે. કહ્યું પણ છે કે – “જો = THથમાઁ કુછ તરત સંઘ” ઈત્યાદિ “રવિદા જીવ” ઈત્યાદિ સૂત્ર અતિમ મંગળરૂપ છે, કારણ કે સમસ્ત જીના પરિજ્ઞાનમાં કારણભૂત હેવાથી તેમાં માંગલિક્તા છે. આ પ્રકારે પ્રજન, મંગળ વગેરેનું કથન કરીને હવે સૂત્રકાર અનુયોગનું કથન કરે છે. અનુગને ભાવાર્થ નીચે પ્રમાણે છે –સૂત્રો પાદાન (સૂત્રને ગ્રહણ કરવાની ક્રિયા) બાદ સૂત્રના અર્થની સાથે જે રોગ થાય છે, તેનું નામ અનુયોગ છે. એટલે કે સૂત્રનું કથન કર્યા બાદ તેના અર્થનું જે કથન કરાય છે. તેનું નામ અનુયોગ છે. અથવા–અનુકૂળ રૂપે-અવિરોધ રૂપ-સૂત્રને અર્થની સાથે જે યોગ (સંબંધ) છે, તેનું નામ અનુયોગ છે આ વિષયના વધુ સ્પષ્ટીકરણ માટે ઉપાસક દશાંગસૂત્રની અગાર ધર્મ સંજીવની ટીકા વાંચી જવી. “ વહુ નિમર્થ શિશુમર્થ” ઈત્યાદિ– જીવાજીવાભિગમ અધ્યયન કે પ્રરૂપણા ટીકાથ–સૂત્રમાં “હું” આ પદ અવધારણમાં અથવા વાયાલંકારમાં વપરાયું છે જે તેને અવધારણમાં વપરાયેલું માનવામાં આવે, તો “દ વસ્તુ” આ પદને અર્થ આ જિનપ્રવચનમાં “જ” માનવો પડશે, શાકય આદિ પ્રવચનોને અહીં ગ્રહણ કરવા જોઈએ નહીં. કારણ કે જિનમત તે જિનપ્રવચનમાં જ જિનાનુમત આદિ વિશેષવાળ હોઈ શકે –શાકય આદિ અન્ય પ્રવચનમાં નહીં અને જ્યારે તેને વાક્યાલંકારમાં વપરાયેલું માનવામાં આવશે, ત્યારે તેને અર્થ (“Tદ ” ને અર્થ) “આ મનુષ્ય લેકમાં થશે. મનુષ્ય લેક માનુષેત્તર પર્વતથી પુષ્કર દ્વીપ સુધી આવે છે, તેથી ત્યાં સુધી તે જિનમત, જિનાનુમત આદિ વિશેષણવાળે છે, તેની બહાર જે અસંખ્યાત દ્વીપ અને સ્વયંભૂરમણ પર્ય તના સમુદ્રો છે, તેમાં તિર્યંચોના જ આવાસો છે, ત્યાં તેનો સદુભાવ નથી. જૈન સિદ્ધાંતની આધ્યાત્મિક દષ્ટિએ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને વિજયી માનવામાં આવતું નથી, પરંતુ આત્માના શત્રુએ રૂપ રાગાદિક પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને જ વિજયી -જિન-માનવામાં આવે છે. વર્ધમાન સ્વામી કે જેઓ અન્તિમ તીર્થંકર થઈ ગયા તેમને જ અહીં એવાં જિન માનવામાં આવ્યા છે જે કે છદ્મસ્થ વીતરાગમાં પણ જિનસંજ્ઞા પ્રચલિત છે, પરંતુ તે તીર્થના પ્રવર્તક હોતા નથી, કેવળજ્ઞાની આત્મા જ તીર્થના પ્રવર્તક થઈ શકે છે. એવા ૨૪ તીર્થંકર થઈ ગયા છે. પરંતુ તે બધાં તીર્થકરોને અહીં ગ્રહણ કરવામાં આવેલ નથી, અહીં તે માત્ર વર્ધમાન સ્વામીને જ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે વર્તમાન સમયમાં પ્રચલિત શાસનના તેઓ અધિપતિ છે. “મા” પદ વડે આચારાંગથી લઈને દષ્ટિવાદ પયંતનું સમસ્ત દ્વાદશાંગ ૫ ગણિપિટક ગ્રહણ કરાયું છે, કારણ તે અર્થ રૂપે મહાવીર સ્વામી દ્વારા જ તે પ્રણીત થયું છે. ઉત્તરાનુમત” થી લઈને “નિરવા સુધીનાં જે પદે છે, તે જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે વર્ધમાન સ્વામીને જીવાભિગમસૂત્ર
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy