SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ સંસારભ્રમણ શા કારણથી હોય છે વગેરે રૂપ કારણેને, પૃષ્ઠ જીવાદિકના સ્વરૂપ વિષે જે ઉત્તર આપવામાં આવે તે વિષે ફરી સામે પ્રશ્નોત્તર કરવા રૂપ વ્યાકરણોને પૂછત નથી, આ કારણથી જીવ કેવલિ પ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કરી શકતો નથી. આ પ્રમાણે આ પ્રથમસ્થાનનું નિરૂ૫ણ છે. દ્વિતીયસ્થાનના કારણનું નિરૂપણ આ પ્રમાણે છે. ઉપાશ્રયમાં જઈને શ્રમણને કે માહણને પ્રાપ્ત કરીને જે જીવ યાવત્ વ્યાકરણને પૂછતું નથી. હે ચિત્ર! આ કારણથી પણ જીવ કેવલિપ્રજ્ઞપ્ત ધમનું શ્રવણ કરી શકતા નથી. અહીં “i a aaa) પદથી “પાદન' ના' અહીંથી માંડીને યથાશનિ વૃતિ” અહીં સુધી સંપૂર્ણ પાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. એજ અર્થને “a Ra ના પદથી સૂચિત કરવામાં આવ્યું છે. તૃતીય સ્થાન આ પ્રમાણે છે.-શ્રમણ કે માહણ ગેચરી માટે-ભિક્ષા માટે–ગામમાં આવેલા હોય એવી પરૂિ સ્થિતિમાં જે જવ તેમની સામે જતું નથી, તેમને વંદન કરતું નથી તેમને નમસ્કાર કરતું નથી, તેમનું સન્માન અને સત્કાર કરતો નથી તેમજ તેમનું કલ્યાણરૂપ મંગળરૂપ, ધર્મદેવ સ્વરૂપ માનીને તથા વિશિષ્ટ જ્ઞાનયુક્ત માનીને તેમની સેવા કરતો નથી તેમજ વિપુલ પ્રચુર અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહાર વડે તેમને પ્રતિલાભિત કરતું નથી એટલે કે શ્રમણને કે માહણને જે ચતુર્વિધ આહાર આપતું નથી તથા અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને તથા વ્યાકરણને તેમને પૂછત નથી આ ઉકત કારણથી હે ચિત્ર ! જીવ કેવલિપ્રજ્ઞત ધર્મનું શ્રવણ કરી શકતું નથી ચતુર્થ સ્થાન આ પ્રમાણે છે– ગમે તે સ્થાને સાધુ કે માહન-૧૨ વ્રતધારી શ્રાવક મળે ત્યારે જે જીવ પિતાની વાતને મહારાજ અમને ઓળખી લે નહિ તેવા વિચારથી હાથવડે, કે વસ્ત્રવડ, કે છત્રવડે સંતાડી દે છે અને તેમને અર્થદિક વિષે પણ પૂછતે નથી શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy