________________
સુધર્માં સ્વામીએ કહ્યું :- હૈ જંબૂ ! આઠમાં અધ્યયનમાં રામકૃષ્ણાદેવીનું ચરિત્ર વર્ણિત છે. તે રાજા શ્રેણિકની રાણી અને કૂણિક મહારાજાની નાની માતા હતી. તેમણે “ભદ્રોત્તરપ્રતિમા” નામની તપસ્યા કરી. તે તપસ્યાનુ વર્ણન આવી રોતે છેઃસર્વપ્રથમ તેમણે પાંચ કરી પારણું કર્યું. પારણું કરી છ કર્યાં, પારણું કરી સાત કર્યાં, એવી રીતે પારણાસહિત આઠે અને નવ કર્યાં. આ પ્રથમ લતા થઈ.
બીજી લતામાં તેમણે પારણાસહિત, સાત, આઠ, નવ, પાંચ અને છ કર્યાં. આ
મીજી લતા થઇ.
ત્રીજી લતામાં પારણા સહિત નવ, પાંચ, છ, સાત અને આઠ કર્યાં. ચોથી લતામાં છ, સાત, આઠ, નવ અને પાંચ કર્યાં. એજ રીતે પાંચમી લતામાં પણ તેમણે પારણા સહિત આઠ, નવ, પાંચ, છ અને સાત કર્યાં.
આવી રીતે આ એક પરિપાટી થઇ. આ એક પરિપાટીમાં તેને છ મહિના વીસ દિવસ લાગ્યા અને આવી રીતે ચાર પરિપાટીમાં બે વર્ષ એ માસ અને વીસ દિવસ લાગ્યા. અંતમાં રામકૃષ્ણા આર્યાં પણ કાલી આર્યાની પેઠે સર્વ કર્મોને ખપાવી સિદ્ધપદને પ્રાપ્ત થઇ (સ્૦ ૧૪)
[ આસું અધ્યયન સમાપ્ત ]
પિતૃસેનકૃષ્ણા કા ચરિત્ર
જ ખૂસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યુ - હે ભદન્ત ! અન્તગડ-સૂત્રના આઠમા વના આઠમા અધ્યયનના ભાવ આપના મુખેથી સાંભળ્યા, હવે તે પછી નવમા અધ્યયનના ભાવ સાંભળવા ઇચ્છું છુ, કૃપા કરી સંભળાવા. સુધર્માસ્વામીએ કહ્યું-હે જમ્મૂ ! નવમા અધ્યયનમાં પિતૃસેનકૃષ્ણાનું વર્ણન છે, તે રાજા શ્રેણિકની રાણી અને મહારાજ કૃણિકની નાની માતા હતી. તેમણે ભગવાન મહાવીર સમીપે પ્રત્રજ્યા લઇ મુક્તાવલી તપસ્યા કરી. તે આ પ્રકારે-સથી પહેલાં તેમણે ઉપવાસ કર્યાં, ઉપવાસને પારણે છઠ કર્યાં, છઠને પારણે ઉપવાસ કર્યાં, ઉપવાસને પારણે અઠમ કર્યાં, એમ એક-એક ઉપવાસ વચ-વચમાં કરતી થકી ક્રમથી પિતૃસૈનકૃષ્ણા આર્યાએ સેાળ ઉપવાસ સુધી કર્યાં. ફરી એ પ્રકારે પદ્મનુપૂર્વીથી વચ-વચમાં ઉપવાસ કરતાં તે જે પ્રકારે ચડી હતી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૬૯