________________
કાલી દેવી કા ચરિત્ર
સુધમાં સ્વામીએ કહ્યું- હે જંબૂ તે કાલ તે સમયે ચપ્પા નામે નગરી હતી. તે નગરીમાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. તે ચમ્પાનગરીને રાજા કૃણિક હતું. તે ચંપા નગરીમાં મહારાજ શ્રેણિકની ભાર્યા તથા રાજ કૂણિકની લઘુમતાં કાલીદેવી હતી. તે કાલીદેવી નન્દાની પેઠે ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રજિત થઈ સામાયિક આદિ અગીયાર અંગોનું અધ્યયન કરવા લાગી અને ઘણાં ચતુર્થ ષષ્ઠ અષ્ટમભક્ત આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતી વિચારવા લાગી (સૂ) ૨)
એક દિવસ તે કાલી આ આર્યચન્દનબાલા આર્યાની પાસે ગઈ અને હાથ જેડી વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક આ પ્રકારે બેલી-હે મહાભાગા ! આપની આજ્ઞા લઈને રત્નાવલી તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતી થકી વિચરવા ચાહું છું ત્યારે આર્યા ચન્દનબાળાએ ઉત્તર આપે-હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ થાય તેમ કરે, કઈ પ્રકારે પ્રમાદ ન કરો. આર્યા ચંદનબાળાની આજ્ઞા મેળવીને કાલી આર્યા રત્નાવલી તપસ્યા કરતી થકી વિચરવા લાગી (સૂ) ૩)
તે રત્નાવલી તપ તેમણે આ પ્રકારે કર્યું–પહેલાં કાલી આર્યાએ ઉપવાસ કર્યો અને પારણું કર્યું. પારણું કરી છઠ કર્યો, પારણું કરી અઠમ કર્યો. પારણું કરી આઠ છઠ કર્યા. પારણું કરી ઉપવાસ કર્યો. પારણું કરી છઠ કર્યો. પારણું કરી અઠમ કર્યો. આવી રીતે અંતરરહિત ચાર કર્યા, પાંચ કર્યા, છ કર્યા, સાત, આઠ, નવ, દસ, અગીયાર, બાર, તેર, ચોદ પંદર, સોળ કર્યા. પછી ચૈત્રીસ છઠ કર્યા. પારણું કરી સોળ દિવસની તપશ્ચર્યા કરી. પારણું કરી પંદર દિવસની તપશ્ચર્યા કરી એવી રીતે ચૌદ, તેર, બાર, અગીયાર, દશ, નવ, આઠ, સાત, છ, પાંચ ચાર, ત્રણ, બે અને એક ઉપવાસ કર્યા. પારણું કરી આઠ છઠ કર્યા, પારણું કરી અઠેમ કર્યો, પારણું કરી ઉપવાસ કર્યો, પછી પારણું કર્યું. એ પ્રકારે તેમણે રત્નાવલી તપની એક પરિપાટી (લડી ની આરાધના કરી. રત્નાવલીની આ એક પરિપાટી (લડી) એક વર્ષ ત્રણ માસ અને બાવીસ રાત્રિદિવસમાં પૂર્ણ થાય છે. આવી એક પરિપાટીમાં ત્રણ ચોર્યાસી દિવસ તપસ્યાના અને અઠયાસી દિવસ પારણાના થાય છે. એ પ્રકારે બધા મળીને ચારસે બઉતેર દિવસ થાય છે. (સૂ૦ ૪)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર