________________
અંગેનું અધ્યયન કર્યું તથા ઘણાં વર્ષો સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું. અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા.
હે જંબૂ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગના ભાવેને નિરૂપણ કર્યા છે (સૂ૦ ૨૯)
સેળમું અધ્યયન સમાપ્ત
છો વર્ગ સમાપ્ત
નન્દા કા ચરિત્ર
સાતમો વર્ગ હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતના છ વર્ગના ભાવેનું જે નિરૂપણ કર્યું છે તે આપના મુખેથી સાંભળ્યું. હવે ત્યારપછી સાતમા વર્ગમાં કયા ભાવ ભગવાને કહ્યા છે?
સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! ભગવાને અંતકૃતના સાતમાં વર્ગમાં તેર અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેનાં નામ આ પ્રમાણે છે: (૧) નન્દા (૨) નન્દવતી (૩) નન્દાત્તરા (૪) નન્દશ્રણિકા (૫) માતા (૬) સુમતા (૭) મહામતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમનાતિકા અને (૧૩) ભૂતદત્તા. આ જે તેર નામ છે તે શ્રેણિક મહારાજની રાણીઓનાં છે. સાતમા વર્ગનાં અધ્યયન એમનાં નામનાં છે ?
જંબૂસ્વામીએ ફરીને પૂછ્યું :–હે ભદત! ભગવાન મહાવીર પ્રભુએ સાતમા વર્ગના તેર અધ્યયનેમાં પ્રથમ અધ્યયનના ભાવનું કયા પ્રકારે નિરૂપણ કર્યું છે?
સુધર્મ સ્વામીએ કહ્યું – જંબૂ! તે કાલ તે સમયે રાજગહ નામનું નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તેમની રાણીનું નામ નન્દા હતું. કેઈએક સમયે ભગવાન મહાવીર પ્રભુ તે નગરીમાં પધાર્યા. પરિષદુ તેમના દર્શન માટે નીકળી. ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળી મહારાણી નન્દાએ અત્યંત હૃષ્ટતુષ્ટ ચિત્તથી પિતાના કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને પિતાને ધાર્મિક યાન (રથ)ને સજજ કરી લઈ આવવાની આજ્ઞા આપી.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૯