SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અર્જુન અનગાર કી સિદ્ધિપદપ્રતિ પછી કઈ સમયે ભગવાન મહાવીર રાજગૃહનગરથી બહાર નીકળી જનપદમાં વિચરી રહ્યા હતા, એ અવધિમાં તે મહાભાગી અર્જુન અનગારે તે ઉદાર, વિપુલ, ભગવાને આપેલ તથા ઉત્કૃષ્ટ ભાવનાથી સ્વીકારેલ અત્યંત પ્રભાવશાલી તપથી આત્માને ભાવિત કરતાં, છ માસ સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું, તથા અર્ધમાસિકી સંલેખનાથી આત્માને સેવિત કરી તથા ત્રીસ ભકતનું અનશનથી છેદિત કરીને પોતાનાં સર્વ ઘનઘાતી કર્મોને નાશ કરીને સિદ્ધ થઈ ગયા ( સૂ૦ ૨૦ ) ઈતિ તૃતીય અધ્યયન સંપૂર્ણ. મકાઇ પ્રભૂતિ કા ચરિત્ર હવે ચતુર્થ અધ્યનને પ્રારંભ આ પ્રકારે કરીએ છીએ જંબૂસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને આ પ્રકારે પૂછયું- હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે છઠ્ઠા વર્ગના તૃતીય અધ્યયનમાં જે ભાવ બતાવ્યા છે તે મેં સાંભળ્યા. હવે ત્યારપછી ચતુર્થ વર્ગના ભાવ સાંભળવા ઈચ્છું છું. શ્રીસુધર્માસ્વામીએ કહ્યું – હે જંબૂ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તે નગરમાં કાશ્યપ નામે એક ગાથાપતિ રહેતા હતા. તે ગાથા પતિએ મકાઈની જેમ ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, અને સેળ વર્ષ સુધી ચારિત્રપર્યાય પા, તથા અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. આ પ્રકારે ચોથું અધ્યયન સમાપ્ત થયું (૪). એવી જ રીતે ક્ષેમક ગાથાપતિનું પણ ચરિત જાણવું, તે કાકદી નગરીના રહેવાસી હતા. તેમણે સેળ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે અને વિપુલ ગિરિ પર સિદ્ધ થઈ ગયા (૫). એજ પ્રકારે ધૃતિધર ગાથાપતિનું પણ વર્ણન છે. એ કાકંદી નગરીના રહેવાસી હતા, તેમનું પણ ચારિત્રપર્યાય સેળ વર્ષના હતા. અંતમાં એ પણ વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા (૬). એજ પ્રકારે કૈલાસ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૪
SR No.006436
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy