________________
અનેક સુભટાના સમૂહથી યુકત, તે કૃષ્ણ વાસુદેવે દ્વારાવતી નગરીના રાજમામાંથી પસાર થઈને, અતિ અરિષ્ટનેમિની પાસે જવા પ્રસ્થાન કર્યું. ત્યારે દ્વારકા નગરીની વચ્ચેવચ્ચે થઈને જતા તે કૃષ્ણવાસુદેવે એક પુરુષને જોયા. તે પુરુષ પૂર્ણ વૃદ્ધ હતા વૃદ્ધવસ્થાના કારણથી તેના દેહ જરિત હાવાથી તે ઘણાજ દુ:ખી હતા. આવી દુ:ખિત સ્થિતિવાળા તે વૃદ્ધ પુરુષ એક મોટા ઇંટના ઢગલામાંથી એક એક ઈંટ ઉપાડીને બહારના રાજમા ઉપરથી પાતાના ઘરમાં મૂકતા હતા. તે સમયે તે દુ:ખી વૃદ્ધને આવી રીતે કાર્યો કરતા થકે જોઈને કૃષ્ણ વાસુદેવે તેના ઉપર દયા લાવી હાથી ઉપર બેઠા બેઠા પેાતાને હાથે એક ઈંટ ઉપાડીને તેના ઘરમાં મૂકી દીધી. કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઈંટ ઉપાડવાથી અન્ય સવેજનાએ પેાતાના હાથે! હાથ ઈંટોના ઢગલાને ઉપાડીને તેના ઘરમાં પહાંચાડી દીધે. આ પ્રકારે શ્રીકૃષ્ણના એક ઇંટ ઉપાડવામાત્રથી તે વૃદ્ધ પુરુષના વારંવાર ફેરા કરવાનું કષ્ટ દૂર થઇ ગયુ. (સ્૦ ૩૧)
કૃષ્ણહારા કી ગઇ વૃદ્ધ પુરૂષ કી સહાયતા
પછી તે કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીના મધ્ય ભાગમાં થઈને નીકળ્યા અને જયાં ભગવાન અતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં પહેાંચ્યા, ત્યા જઈને તેમણે ભગવાન્ અર્હત્ અરિષ્ટનેમિને વન્દન નમસ્કાર કર્યાં. અને પછી પોતાના નાનાભાઇ અને નવદીક્ષિત ગજસુકુમાલ અનગારને વન્દના કરવા માટે આમ તેમ જોવા લાગ્યા. જયારે તેમણે ગજસુકુમાલ અનગારને ત્યાં જોયા નહિ ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું-હે ભદન્ત ! મ્હારા નાનાભાઇ—નવદીક્ષિત ગજસુકુમાલ અનગાર કયાં છે ? હું તેમને વન્દન—નમસ્કાર કરવા ચાહું છું. આ સાંભળીને ભગવાન અત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું—હે કૃષ્ણ! ગજસુકુમાલ અનગારે જે હેતુ માટે સંયમનો સ્વીકાર કર્યાં હતા તે હેતુ તેમણે સિદ્ધ કરી લીધા છે. કૃષ્ણ વાસુદેવે આશ્ચયુકત થઈને પૂછ્યું – હે ભદન્ત ! તેમણે કઈ રીતે પોતાનો અર્થ સિદ્ધ કરી લીધે ? સૂ૦ ૩૨)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૨૯