SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ રમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તે નારકો જઘન્યની એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી એક સમયમાં સંખ્યાત પણે ઉત્પન્ન થાય છે. વિગેરે તમામ કથન અહિયાં પહેલા ગમમાં કહ્યા પ્રમાણે સમજવું. “Rવર નેન્દ્રિ હરે ૪ જાને ના? પરંતુ અહિયાં વિશેષપણું એવું છે કે–અહિયાં નરયિક સ્થિતિ અને સંવેધને વિચાર કરીને કહેવા જોઈએ અર્થાત અહિયાં જઘન્ય સ્થિતિ વર્ષ પૃથકૃત્વ અધિક ૨૨ બાવીસ સાપરેડમની છે. અને ઉત્કૃષ્ટથી પ્રકાટિ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમની છે “તો વ વોરાQિua Rવવા” જે એજ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સાતમા નરકના નારકે માં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તો હે ભગવન્! તે કેટલા કાળની રિથતિવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! તે જઘન્યથી ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિ કેમાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી પણ ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિ વાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવાન એવા નારકે ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! જઘન્યથી તે ત્યાં એક અથવા બે અથવા ૩ ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત નારકો ઉત્પન્ન થાય છે. આના પછીનું બાકીનું તમામ કથન પણ પહેલા પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું એજ અભિપ્રાયથી સૂત્રકારે “gવ જેવા સત્તાવા આ પ્રમાણેને સૂત્રપાઠ કહ્યો છે. “નવ સંવેદં ર બાળકના' અહિયાં પહેલા ગામના કથન પ્રમાણે જ કાયસંવેધ સમજવા. “સો વેર વળT Sનવાસ્કિટ્રિમો વાગો તણ વિ તિ, વિ રમશું પર વ વવચા” હે ભગવન જે તે સંસી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્ય કે જે જ ઘન્ય કાળની સ્થિતિથી ઉત્પન્ન થયા હોય એવે તે સાતમી પૃથ્વીના નૈરયિકામાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે તે કેટલા કાળની સ્થિતિવાળા નરયિકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં તથા એક સમયમાં ત્યાં કેટલા નૈરયિકે ત્યાં ઉત્પન્ન થાય છે ? આ બન્ને પ્રશ્નના ઉત્તરમાં પહેલા ગામમાં કહેલ કથન પુરેપૂરી રીતે અહિયાં કહી લેવું જોઈએ. પરંતુ તે કથન કરતાં આ કથનમાં જે ફેરફાર છે, તે “જે નવ લાખir somળે વિગેરે સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે આ રીતે બતાવેલ છે કે–અહિયાં પહેલા ગમમાં કહેલ શરીરની અવગાહનાની અપેક્ષાએ જે અવગાહના છે, તે જઘ ન્યથી રનિ પ્રથકૃત્વની છે. એટલે કે બે હાથથી લઈને ૯ નવ હાથ સુધીની છે. અને ઉત્કૃષ્ટથી પણ તે રનિ પૃથકત્વ જ છે. તથા સ્થિતિ અહિયાં જ ઘ. ન્યથી વર્ષ પૃથક્વ અને ઉત્કૃષ્ટથી પણ વર્ષ પૃથકૃત્વ છે. એટલે કે બે વર્ષથી લઈને નવ વર્ષ સુધીની છે. “gવું બgવંધો વિ' એજ રીતે અનુબંધ પણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી વર્ષ પૃથક્વજ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧પ૯
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy