SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્મરત્નનું કામ એ છે કે જ્યારે ચક્રવતી તેને પિતાના હાથનો સ્પર્શ કરે છે ત્યારે તે બાર યોજન લાંબુ પહેલું થઈ જાય છે, તથા તે સવારે વાવેલ શેખ દિ ધાન્યને બપોર પછીના સમયે ખાવા યોગ્ય કરી દે છે. અને નદી આદિને પાર કરવી હોય ત્યારે સેનાપતિના હાથથી તેને સ્પર્શ કરાય છે ત્યારે તે નૌકારૂપ બની જાય છે. ૧૨ મણિરત્ન ચાર આંગળ લાંબું અને બે આગળ જાડું હોય છે. તેને છ ખૂણા હાય છે. તેને માથા પર ધારણ કરવાથી ગાદિકનું ઉપશમન થઈ જાય છે, દેવાદિ કૃત ઉપસર્ગોને અભાવ થઈ જાય છે, અને શસ્ત્રો દ્વારા ઘાત થઈ શક્તા નથી ૧૩. કાકિણીરત્ન-તે આઠ મહોર જેવડા કદનું હોય છે. તે અધિકારનો નાશ કરે છે. લોઢાના ઘણ જેવો તેને આકાર હોય છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહા નદી છે, જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણસમુદ્રને મળે છે. તે નદીઓ નીચે પ્રમાણે છે (૧) ગંગા, (૨) સિંધુ, (૩) રહિતા, (૪) રોહિતાશા, (૫) હરિ, (૬) હરિકાન્તા, (૭) સીતા, (૮) સીતા (૯) નરકાન્તા, [૧૦] નરિકાન્તા, (૧૧) સુવર્ણ કૂલા, (૧૨) રુખકૂલા, (૧૩) ૨કતા, અને (૧૪) રકતવતી. સૂ. ૩૪ ચૌદહવે સમવાય મેં નારયિોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ ટીકાથ–ીસે રૂારિ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ પોપમની કહી છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ચૌદ સાગરોપમની સ્થિતિ કહી છે. અસુરકુમારે દેવોમાં કેટલાક દેવેની ચૌદ પાપમની સ્થિતિ કહી છે. સૌધર્મ અને ઇશાન કમાં કેટલાક દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની કહી છે. લાન્તક કલ્પમાં કેટલાક દેવેની સ્થિતિ ચૌદ સાગરોપમની કહી છે મહાશુક કલ્પમાં કેટલાક દેવેની જધન્ય સ્થિતિ ચૌદ સાગરોપમની કહી છે. જે દેવે (૧) શ્રીકાન્ત (૨) શ્રી મહિત, (૩) શ્રી સૌમનસ, (૪) લાન્તક (૫) કાપિઠ (૬) મહેન્દ્ર (૭) મહેન્દ્રકાન્ત અને (૮) મહેન્દ્રત્તરાવસક, એ આઠ વિમાનોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવેની સ્થિતિ ચૌદ સાગરેપમની કહી છે. તે દે સાત મહિને બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવ સ. ગ્રહણ કરે છે. તે દેવને ચોદ હજાર વર્ષ પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવેમાંના કેટલાક દેવો ભવસિધ્ધિક હોય છે. તેઓ ચૌદ ભવ ગ્રહણ કર્યા પછી સિધપદ પામશે. બુધ થશે, કર્મમળથી સર્વથા મુક્ત થશે. તથા સમસ્ત દુખોને સર્વથા નાશ કરશે સૂ, રૂપા શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy