SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્યારહવે સમવાય મેં નારયિોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ * કાન્તથી એટલે કે તિરકસ લોકના અન્તથી એક હજાર એકસે અગિયાર (૧૧૧૧) જનને અંતરે જ્યોતિશ્ચક્રને પ્રારંભ થાય છે. જમ્બુદ્વીપ નામના દ્વીપમાં અગિયારસો એકવીસ (૧૧૨૧) જન પ્રમાણ સુમેરુને છોડીને જ્યોતિશ્ચક્ર ભ્રમણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધર હતા, તેમના નામ નીચે પ્રમાણે છે (૧) ઈદ્રભૂતિ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યકત, (૫) સુધર્મા, (૬) મંડિત, (૭) મૌર્યપુત્ર, (૮) અંકપિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતા અને (૧૧) પ્રભાસ. મૂળ નક્ષત્ર અગિયાર તારાઓવાળું છે. અધસ્તન વૈવેયક નિવાસી દેનાં એક સે અગિયાર (૧૧૧) વેયક વિમાન છે, એમ ભગવાને કહ્યું છે. સુમેરુ પર્વત વિસ્તારમાં ઘરણિતલની અપેક્ષાએ શિખર પ્રદેશમાં અગિયાર ભાગ ન્યૂન (ઓ) છે. એટલે કે મંદર પર્વતની તળેટીના ભાગમાં જેટલી પહોળાઈ છે, તેમાંથી મંદર પર્વ તની ઊંચાઈનો અગિયારમે ભાગ બાદ કરતાં જે બાકી રહે તે મન્દર પવતના શિખરને વિષ્કમ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેપૃથ્વીન સમતલ પર મન્દર પર્વતને વિષ્કભ-વિસ્તાર-દસ હજાર યોજન છે. મન્દર પર્વતની ઊંચાઈ નવાણું હજાર જન છે. તેને અગિયારમે ભાગ નવ હજાર જન થાય છે. તે નવ હજાર યોજનને, મન્દર પર્વતના પૃથ્વીસમતલ વિસ્તાર દસ હજાર જનમાંથી બાદ કરતાં એક હજાર રોજન બાકી રહે છે. તે મન્દર પર્વતના શિખરને વિષ્કભ-વિસ્તાર એક હજાર જન સમજવો. સૂ. ૩૦ ટીકાર્થ–મીતે i par આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની અગિયાર પલ્યોપમની સ્થિતિ કહી છે. પાચમી ભૂમિમાં કેટલાક નારકીઓની અગિયાર સાગરોપમની સ્થિતિ કહી છે. અસુરકુમાર દેમાં કેટલાક દેવની સ્થિતિ અગિયાર પલ્યોપમની કહી છે. સૌધર્મ અને ઈશાન કલ્પોમાં કેટલાક દેવેની સ્થિતિ અગિયાર પલ્યોપમની હોય છે. લાન્તક ક૯૫માં કેટલાક દેવની સ્થિતિ અગિયાર સાગરોપમની કહી છે. જે દેવો (૧) બ્રહ્મ, (૨) સુબ્રહ્મ, (૩) બ્રહ્માવત્ત, (૪) બ્રહ્મપ્રભ, (૫) બ્રહ્મકાન્ત, (૬) બ્રહ્મવર્ણ (૭) બ્રહ્મ લેશ્ય, (૮) બ્રહ્મધ્વજ, (૯) બ્રહ્મસૃગ, (૧૦) બ્રહ્મસૃષ્ટ, (૧૧) બ્રહ્મકૂટ અને (૧૨)બ્રહ્મો ત્તરાવતંક, એ બાર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની હોય છે. તે દેવો સાડા પાંચ મહિને બાહો તથા આભ્ય શ્રી સમવાયાંગ સૂત્ર
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy