SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ चत्तालीसं छएयाइं सहस्साई) पश्चाशत् चत्वारिंशत् षट् एतानि सहस्राणिછઠ્ઠા લાન્તક દેવલોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુકમાં ચાલીસ હજાર, અને આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર વિમાનો છે. (બાળા gigg ચત્તાર आरणच्चुए तिन्नि एयाणि सयाणि) आनते प्राणते चत्वारि, आरणाच्युते ત્રોળ તાન તાનિ-નવમાં આનત અને દસમાં પ્રાણુત દેવલોકમાં ચારસો વિમાને છે. અગિયારમાં આરણ અને બારમાં અચુત ક્રમાં ત્રણ વિમાનો છે. (gi જાણહિં માળિય) પદ્ય જાથામ મળતરથમૂ-એ જ પ્રમાણે “વત્તીસાવીસ ઈત્યાદિ આગળ આપેલી ગાથાઓ પ્રમાણે આગળનું વર્ણન સમજવું. સૂ.૧૮૭ ટીકાથ–“વફા મતે ! કૃત્યાદ્ધિા પ્રશ્ન-હે ભદન્ત ! અસુરકુમારના આવાસ કેટલા છે? ઉત્તર–હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીની ઊંચાઈ એક લાખ એંસી હજા૨ જનની કહેલ છે. તેના ઉપર અને નીચેના એક એક હજાર જન પ્રમાણ ક્ષેત્ર સિવાયના બાકીના એક લાખ અઠોતેર હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં અસુરકુમારોના ૬૪ ચોસઠ લાખ આવાસ છે તે આવાસરૂપ ભવન બહારથી ગોળ અને આ દરથી ચતુષ્કોણ છે. તેમનો નીચેનો ભાગ કમળની કર્ણિકાના જેવા આકારને હોય છે. જમીનને ખોદીને તેમના ફરતી બનાવેલ ખાઈ (ખાત) અને તેમની પરિઘા વિપુલ અને ગંભીર છે. ખાત (ખાઈ) ઉપર તથા નીચે સમપ્રમાણ હોય છે. પરિઘા ઉપરથી વિશાળ અને નીચેના ભાગમાં સાંકડી હોય છે. તે આવાસોને અટારીઓ હોય છે અને તેમની પાસે આઠ હાથ પહેળે માર્ગ હોય છે. તથા તેમને પુરદ્વાર, કપાટ, તેરણ,બહિદ્વાર અને પ્રતિદ્વાર–અવાન્તરદ્વાર હોય છે. તે બધા ભવનો પથ્થર ફેંકવાના યંત્રથી, મુસલનામના શસ્ત્રોથી, મુસુંઢીઓથી, તથા એક સાથે ૧૦૦ સે માણસને ઘાત કરી શકે એવી શતધિયોથી સજજ હોય છે. તેમાં પ્રવેશ કરીને શત્રુ સન્ય યુદ્ધ કરી શકતું નથી તેથી તે ભાવને ‘અથાણ' ગણાય છે. તે ભાવને ૪૮ અડતાલીસ પ્રકારની રચનાવાળા ઓરડાવાળાં હોય છે, અને ૪૮ અડતાલીસ પ્રકા રની ઉત્તમ વનમાળાઓથી યુકત હોય છે. તેની ભૂમિ પર લેપ અને ઉપલેપ કર્યો હોય એવું લાગે છે તેથી ભવને ઘણાં સુંદર લાગે છે. તેમની દિવાલ પર ગાઢ ગશીર્ષ ચંદન અને સરસ રકતચંદનના લેપથી પાંચ આંગળિયે અને હથેળીન નિશાન પડ્યાં હોય એવું લાગે છે. તે ભવનોની અંદર કાળા અગર, શ્રેષ્ઠ કપ, શ્રી સમવાયાંગ સૂત્ર ૩૯૩
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy