SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અઠહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ હવે સૂત્રકાર અઠોતેર (૭૮) માં સમવાય બતાવે છે- જે રૂઢિા ટીકાઈ–દેવરાજ, દેવેન્દ્ર, શક્રના સંબંધી જે વૈશ્રમણ મહારાજ છે-તેઓ દક્ષિણદિશામાં જે સુવર્ણકુમારેનાં ૩૮ આડત્રીસ લાખ ભવન છે તથા દ્વીપકુમારનાં જે ૪૦ ચાળીસ લાખ ભવન છે તે બધાની ઉપર અધિપત્ય, પુરવર્તિવ, સ્વામિત્વ, ભતૃત્વ, મહારાજત્વ, તથા આરેશ્વર સેનાપતિત્વ પિતાના અનુયાયીઓ પાસે કરાવે છે અને પોતે તેમની રક્ષા કરે છે. ભગવાન મહાવીરના આઠમા ગણધર સ્થવિર અકંપિત પોતનું ૭૮ અઠોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ, બુદ્ધ, અને સમસ્ત દુખેથી રહિત થયા હતા. ઉત્તરાયણમાંથી નિવૃત્ત થયેલ સૂર્યદક્ષિણાયનમાં પ્રવેશ કરવાને સન્મુખ થયેલ સૂર્ય-પહેલા મંડળથી (સભ્યન્તર મંડળથી નહીં) દક્ષિણાયન પહેલા મંડળની અપેક્ષાએ ૩૯ ઓગણચાળીસમાં મંડળમાં તથા સર્વોચ્ચત્તર મંડળની અપેક્ષાએ ચાલીસમાં મંડળમાં દિવસરૂપ ક્ષેત્રના ૭૮ અઠોતેર ભાગોને એટલે કે એક મુહૂર્તના ૬૧ એકસઠ ભાગમાંથી ૧ ભાગ પ્રમાણ ૭૮ અઠતેર ભાગોને ક્ષપિત (ક્ષય) કરીને અને રાત્રિના એટલા જ ભાગને વધારીને પરિભ્રમણ કરે છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં આ વિષયમાં આ પ્રમાણે કહેલ છે-જબૂદ્વીપમાં જે સમયે બે સર્વાભ્યન્તર મંડળ પર પહોંચીને ભ્રમણ કરે છે ત્યારે તેમની વચ્ચે ૯૯૬૪૦ નવાણું હજાર છસે ચાલીસ જનનું અંતર રહે છે. સભ્યન્તર મંડળની બન્ને બાજુએ ૧૮૦ એકસે એંસી ચજન છોડીને જબૂદ્વીપ છે. જંબુદ્વીપના પ્રમાણમાંથી ૧૮૦ એકસે એંસી ચેજનથી બમણું એટલે કે ૩૬ ત્રણસે સાઈઠ યોજન બાદ કરવાથી જે ૯૯૬૪૦ નવાણું હજાર છસે ચાલીસ એજન વધે છે એ જ તે બન્ને વચ્ચેનું અંતર છે. જબૂદ્વીપમાં તે અંતરેથી પરિભ્રમણ કરનાર તે બને સૂર્યોનું દિવસમાન વધારેમાં શ્રી સમવાયાંગ સૂત્ર ૨૧૩
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy