SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આપવામાં આવી છે તે ગાથાઓ એ જ વાતને ટેકે આપે છે એટલે કે તે છ નક્ષત્રોની કાળસીમાનું પ્રમાણ ૪૫ પિસ્તાલીશ મુહૂર્તનું છે. હવે બાકીના જે પંદર નક્ષત્રો છે તેમના અહોરાત્ર ભોગ્ય ક્ષેત્રને ૬૭ સડસઠ વડે ભાગીએ તે ભાગાકારક ૭ સડસઠ જ આવે છે. એ રીતે બાકીના પંદર નક્ષત્રોને સીમાવિષ્કમ ૬૭ સડસઠ ભાગ પ્રમાણ છે. તે ૬૭ સડસઠ ને ત્રીસ વડે ગુણતાં ૨૦૧૦ બે હજાર દસ આવે છે. તેને ૬૭ સડસઠ વડે ભાગતા જે ૩૦ ત્રીસ જવાબ આવે છે એ જ તેમની કાળસીમા થાય છે. અહીં જે “મા ” વગેરે ગાથાઓ આપી છે તે આ જ. ૩૦ મુહૂર્તરૂપ કાળ સીમાને બતાવવાને માટે કહેવામાં આવેલ છે. એ જ રીતે અભિજિત આદિ જે ૨૮ અઠયાવીસ નક્ષત્રો છે, તેમનું જે અહેરા ભાગ્ય ક્ષેત્ર છે તેના ૬૭ સડસઠ ભાગ કરતા ૧૮૩૦ ૦૬૭ આવે છે. એ જ તેની ક્ષેત્રસીમાનો વિકૅભ છે. જબૂદ્વીપમાં બે ચન્દ્રમાં અને બે સૂર્યની અપેક્ષાએ નક્ષત્રો બમણાં-એટલે કે ૨૮-૨ = ૫૬ નક્ષત્ર છે. તે સૌનું જે અહેરાત્ર ભેગ્ય ક્ષેત્ર છે, તેના ૬૭ સડસઠ ભાગ પાડતા ૩૬૬ ૦૬૭ આવે છે. તે તે પ૬(છપ્પન)નક્ષત્રોની ક્ષેત્ર સીમાને વિષ્કભ એટલો જ-૩૬૬૦ સમજવાને છે ભાવાર્થ——પાંચ સંવત્સરે દ્વારા નિર્વાણ થતાં એક યુગમાં સડસઠ (૭) નક્ષમાસ હોય છે. હિમવત અને એરવત ક્ષેત્ર બને બાહુ આયામની અપેક્ષાએ ભિન્ન ભિન્નરૂપે ૬૭૫૫ ૩૧૯ યોજન છે. સુમેરુ પર્વતના પૌરત્ય શરમાન્ત (પૂર્વના અતિમ ભાગ)થી ગૌતમદ્વીપનો અન્તિમ ભાગ સડસઠ હજાર (૬૭૦૦) જનને અંતરે છે. સઘળાં નક્ષત્રેને સીમાવિષ્કભ ૬૭ સડસઠ ભાગ વડે ભાજિત છે. સૂ. ૧૦૬ શ્રી સમવાયાંગ સૂત્ર ૧૯૬
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy