SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ લવણસમુદ્રગત ગોતીર્થ રહિત ક્ષેત્રના નિરૂપણ “વાસ્ત ને સમર કોચરાડુંઈત્યાદિ–(ફૂ. ૨૧) ટીકાથ–લવણસમુદ્રનું ગોતીર્થથી રહિત ક્ષેત્ર-સમક્ષેત્ર-દસ હજાર જનનું કહ્યું છે. ગાય આદિકેને તળાવ આદિ જળાશયોમાં ઉતરવાની જે ભૂમિ હોય છે તેને ગાતીર્થ કહે છે. આ ગોતીર્થથી રહિત જે ક્ષેત્ર છે તેને સમક્ષેત્ર કહે છે. પૂર્વની લ્પ હજાર યોજન પ્રમાણ અને પશ્ચિમની ૯૫ હજાર જનપ્રમાણ તીર્થરૂપ ભૂમિને છોડી દેતાં બાકીનું જે ૧૦ હજાર યોજન પ્રમાણ સમક્ષેત્ર છે તેને અહીં ગોતીર્થથી રહિત ક્ષેત્ર રૂપ કહ્યું છે. લવણસમુદ્રના મધ્યભાગમાંથી ઉત્પન્ન થતી ઉદકવેલા (પાણીની ભરતી) વિખંભની અપેક્ષાએ દસ હજાર યોજન પ્રમાણુ કહી છે, તથા તેની ઊંચાઈ ૧૬ હજાર જનની કહી છે. તથા પૂર્વાદિ દિશાઓમાં જે એક એક પાતાલ કલશ છે તેમને ઉદ્વેગ (ઊંડાઈ) એક એક લાખ જનની કહી છે. એવાં ચાર પાતાળ કલશ છે. તેમનાં નામ વલયામુખ, કેયૂર, ચૂપક અને ઈશ્વર છે. મૂલ ભાગમાં તેમને વિષ્ક (વિસ્તાર) દસ હજાર એજનને છે. બન્ને બાજુના મૂળભાગથી એક એક પ્રદેશની વૃદ્ધિ થતાં થતાં તે પાતાળ કળશેના બરાબર મધ્યભાગને વિસ્તાર એક એક લાખ એજનને થઈ જાય છે. એક એક પ્રદેશની જે વૃદ્ધિ છે તેનું નામ શ્રેણિવૃદ્ધિ છે અથવા-એક પ્રદેશ વાળ શ્રેણીના બહુમધ્યદેશભાગમાં–તદ્દન મધ્યભાગમાં–તે કળશને વિસ્તાર એક એક લાખ જનને કહ્યો છે. આ રીતે તે મહાપાતાલ કલશોના મૂલભાગ અને મધ્યભાગના વિસ્તારનું કથન કરીને હવે સૂત્રકાર તે મહાપાતાલ કલશોના ઉપરિતન ભાગના વિષ્કભનું પ્રમાણ પ્રકટ કરે છે– “વારિ” ઈત્યાદિ તે મહાપાતાલ કળશના મુખપ્રદેશને વિરતાર દસ દસહજાર જનને કહ્યું છે. આપાતાળકળશેની જે ભીંતે છે તે સંપૂર્ણ રૂપે વજ માય છે અને તેની જાડાઈ એક સરખી છે. તે ભી તેની જાડાઈ એક હજાર યોજન પ્રમાણ છે. આ પ્રમાણે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૧૫૯
SR No.006413
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy