SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શકતું નથી. તે કારણે તે સાધુ નિર્લોભતા રૂપ મુક્તિમાર્ગ પર આગળ વધી શકતો નથી. તેથી એવા સાધુને મુક્તિમાર્ગને પરિમ9 (વિરાધક) કહ્યો છે. અભિધ્યાનિદાન કરનારને છઠ્ઠા પ્રકાર પરિમલ્થ કહ્યો છે-અભિધ્યા એટલે લેભ. જે સાધુ લોભને વશ થઈને ચકવતી આદિ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા સેવે છે, તે સાધુ આર્તધ્યાનવાળો હોય છે. આત્ત ધ્યાનને લીધે સાધુ મુક્તિમાર્ગથી ખલિત થઈ જાય છે, તે કારણે તેને મોક્ષમાર્ગને પરિમળ્યું કહ્યો છે. “અમિથ્યા” આ વિશેષણના પ્રાગ દ્વારા સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે સાધુ ભરહિત બનીને જન્મમરણ આદિને અન્ત લાવવાની આશા સેવે છે, તે સાધુની તે પ્રકારની આકાંક્ષા મોક્ષમાર્ગની વિનાશક બનતી નથી. શકા–જેવી રીતે ચકવત આદિ પદની ચાહના મોક્ષમાર્ગની વિનાશક ગણાય છે, એવી જ રીતે જન્મ, જરા અને મરણને વિનાશ કરનાર તીર્થકર પદની ચાહના રૂપ નિદાન શું મોક્ષમાર્ગનું વિનાશક બનતું નથી ? ઉત્તર–“સવથ મવચા ખયાના પથ ” આ સૂત્રપાઠ દ્વારા સત્રકારે એ જ વાતનું સમાધાન કર્યું છે. તીર્થંકર પદની આકાંક્ષા એક્ષમાર્ગની વિનાશક બનતી નથી. છતાં એ વાત પણ અહીં સ્પષ્ટ કરવામાં આવી છે કે “ચક્રવર્તી આદિ પદ વિષયક અનિદાનતાને જ પ્રશંસનીય માનવામાં આવેલ નથી, પરંતુ તીર્થ'કરવા ચરમ દેહત્વ આદિ વિષયક અનિ. દાનતાને પણ પ્રશંસનીય માનવામાં આવેલ છે. કહ્યું પણ છે કે : “હું પરસ્ટોનિમિત્ત” ઈત્યાદિ– માત્ર આલોક અને પરલેક વિષયક અનિદાનતાને જ પ્રશંસનીય કહેલ નથી, પરંતુ સમસ્ત અર્થોમાં અને સમસ્ત બાબતમાં પણ અનિદાનતાને પ્રશંસનીય કહી છે. આ રીત તીર્થકર, ચરમદેહ આદિના નિદાનને પ્રશંસનીય કહેવામાં આવ્યું નથી. મેં સૂ. ૫૫ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૧૮૩
SR No.006412
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy