SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પ્રાસુક, અચિત્ત, ઉદ્વમાદિ દેષથી રહિત હેવાને કારણે એષણય ( કપ્ય) એવા અલ્પ અપ માત્રામાં અનેક ઘરોમાંથી ગ્રહણ કરાયેલા આહારની તેઓ વિધિસહિત ગવેષણ કરતા નથી, તે કારણે પણ તેઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી શકતા નથી. આ પ્રકારની આ ચાર કારણોને લીધે નિર્ગ છે અને નિર્ચથીઓ ઉત્પત્તિ યોગ્ય એવા અતિશેષ કેવળ જ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરી શક્તા નથી. નહિં કgિ” ઈત્યાદિ–ઉપર જે કારણે પ્રકટ કરવામાં આવ્યાં છે. તે કારણે કરતાં વિપરીત કારણેને લીધે નિર્ચ અને નિગ્રંથીઓ અતિશેષ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરી શકે છે. અહીં “નિથી” આ પદના પ્રયોગ દ્વારા “ સ્ત્રીને મુક્તિ પ્રાપ્ત થતી નથી ” આ પ્રકારની માન્યતા ધરાવનારના મતનું ખંડન કરીને એ વાત પ્રકટ કરવામાં આવી છે કે સ્ત્રીને પણ મુક્તિ મળી શકે છે. સૂ. ૪૬ છે સ્વાધ્યાયમેં કર્તવ્યતા-અકર્તવ્યતાક નિરૂપણ નિર્ચ ને અધિકાર ચાલુ હોવાથી હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે નિર્ગથ-નિગ્રંથીઓએ ક્યારે સ્વાધ્યાય કરે જોઈએ અને કયારે ન કરવો જોઈએ. “નો વર્ણ નિriાળ વા નિાથીખ જાઈત્યાદિ– ચાર મહાપ્રતિપદાઓમાં (વદ એકમે) નિર્ગથ અને નિર્ચથીઓએ સ્વાધ્યાય કરવો જોઈએ નહીં. (૧) અષાઢી પડવે, (૨) આ માસના પડવે, (૩) કાર્તિક માસના પડે અને સુગ્રીષ્મના-ચૈત્રના પડે. ચાર સંસ્થાઓમાં નિગ્રંથ-નિર્ચ થીઓએ સ્વાધ્યાય કર જોઈએ નહીં. (૧) પ્રથમ સંધ્યામાં, (૨) છેલ્લી સંધ્યામાં, (૩) મધ્યાહને અને (૪) અર્ધરાત્રે નિર્ગથ અને નિર્ચથીઓને માટે નીચેના ચાર કાળ સ્વાધ્યાય કરવાને યોગ્ય કહ્યા છે–(૧) પૂર્વાહ, (૨) અપરાહ્મ, (૪) પ્રદેશ અને (૪) પ્રત્યુષ. ટીકાથે–ચાર પ્રતિપદા (વદ એકમ) તિથિઓમાં સ્વાધ્યાય કરવાને નિષેધ કરવાનું કારણ એ છે કે તે તિથિઓમાં સામાન્યતઃ વિક્તસંભાવના રહે છે. “સ્વાધ્યાય” શબ્દથી આચારાંગસૂત્ર આદિને મૂળપાઠ ગૃહીત થયે છે. અષાડ આદિ ચાર માસની પ્રતિપદાઓને મહાપ્રતિપદાએ કહી છે. આષાઢી પૂર્ણિમા પછી જે તિથી આવે છે તેને, એટલે કે અષાઢ માસના કૃષ્ણપક્ષની એકમને આષાઢી પ્રતિપદા કહે છે. “ઈન્દ્ર મહકી પ્રતિપદ” આ માસની પૂર્ણિમા પછી જે એકમની તિથિ આવે છે તેને, એટલે કે આસો વદ એકમને “ઈન્દ્ર મહકી પ્રતિપદ' કહે છે. કાર્તક માસની પૂર્ણિમા પછી જે વદ એકમની તિથિ આવે છે, તેને “કાર્તિક પ્રતિપદા' કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨ ૨૫૭
SR No.006410
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy