SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ એ કઈ સુપુત્ર હોય કે જે પોતાના માતાપિતાની ઉપર દર્શાવેલી પદ્ધતિથી સેવા કરતે હોય, તે પણ તે તેના માતાપિતાએ તેના ઉપર જે ઉપકારે કર્યા હોય છે તેને પ્રત્યુપકાર વાળી આપવાને સમર્થ થઈ શકતું નથી. એજ વાત “વહેત” આ વિધ્યર્થક પ્રયોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે તેમના ઉપકારને બદલે તે કેવી રીતે વાળી શકે? આ પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુ કહે છે કે “જળ રે” ઈત્યાદિ. તેમના ઉપકારનો બદલો વાળવાને માત્ર એક જ ઉપાય છે, તે ઉપાય નીચે પ્રમાણે છે તેણે તેમને શ્રુતચારિત્રરૂપ ધર્મ તરફ વાળી લેવો જોઈએ. તેણે તેમને સમજાવવું જોઈએ કે જૈન ધર્મ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત થયેલ છે. તે ધર્મ જ સંસારી જનું હિત કરનારો છે, આ ધર્મમાં બતાવવામાં આવેલા માર્ગે ચાલવાથી સંસારી નું કેઈ અહિત થતું નથી, જન્મમરણની જંજાળમાંથી છૂટવાની આ એક જ પરમૌષધિ છે. જન્મ, મરણ અને જરા રૂ૫ રેગને ખરે ઈલાજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સેવનથી જ જીવને સાંપડી શકે છે આ પ્રકારે તેમને સમજાવીને તેણે તેમને એવાં જીનાં દષ્ટાતે આપવા જોઈએ કે જેમણે કેવલિ પ્રરૂપિત ધર્મની સમ્યફ રીતે આરાધના કરીને આત્મલાભ (મેક્ષ) પ્રાપ્ત કર્યો હોય. તેણે ભેદાનભેદપૂર્વક તેમની પાસે આ ધર્મનું નિરૂપણ કરવું જોઈએ. આ રીતે તેમને સમજાવીને જે તે તેમને જિનપ્રણીત ધર્મમાં સ્થાપિત કરી શકે છે, તો તે રીતે તે અવશ્ય તેમના ઉપકારને બદલે વાળી શકે છે. કારણ કે કઈ પણ વ્યક્તિને જૈન ધર્મમાં સ્થાપિત કરવી એજ તેનાપર મોટામાં મેટે ઉપકાર કર્યો ગણાય છે. ભલે અભંગાદિ લગાવવાથી અને ઉત્તમ ભેજન ખવરાવવાથી શરીરનું પિષણ થતું હોય, પણ તેના દ્વારા આત્માનું પિષણ તે નથી જ થતું. આત્માનું પિષણ તે કેવલિ–પ્રરૂપિત જૈન ધર્મની આરાધનાથી જ થાય છે. તેથી એવું કરનાર વ્યક્તિ પિતાનું અન્યનું અને ઉભયનું કલ્યાણ કરી શકે છે. એ જ વાત આ કથનથી સૂત્રકારે અહીં પ્રકટ કરી છે. કહ્યું પણ છે કે તમત્તાવાઇ સુવિચાર” ઈત્યાદિ. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અનેક ભવમાં સર્વગુણયુકત કરાયેલા કરોડે ઉપકારોથી પણ સમ્યકરવદાયક પુરુષોના ઉપકારને બદલે શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૨૬૦
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy