________________
માનયુક્ત દેવ જ કરે છે. આ ક્રિયામાં પ્રવૃત્ત થનાર જે દેવ હોય છે તે દેવમાં દર્પ ( અહંકાર) અને ઉલાસ પણ હોય છે. તેથી એ દેવ પિતાને સ્થાનેથી ચલનક્રિયા, વિધુત્કાર તથા ગર્જનાદિ ક્રિયાઓ પણ કરે છે. તેથી જ એવું કહ્યું છે કે આ ચલન, વિધુત્કાર આદિ ક્રિયાઓ વૈક્રિયકરણ આદિને કારણે થાય છે.
વિમાન, વસ્ત્ર, આભૂષણ આદિ. સમૃદ્ધિનું નામ ઋદ્ધિ છે. શરીર, આભરણ આદિની દીપ્તિનું નામ શુતિ છે. ખ્યાતિનું નામ યશ છે. શારીરિક સામથ્યનું નામ બળ છે. આત્મબળનું નામ વીર્ય છે. પુરુષાર્થનું નામ પુરુષકાર છે. તે પુરુષકાર જ પરાક્રમરૂપ હોય છે. પિતાની આ અદ્ધિ આદિનું પ્રદર્શન કરતે દેવ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જે અવાજ કરે છે. સૂ. ૧૨ છે
ઉત્પાતરૂપ લોકાલ્પકારાદિકા નિરૂપણ
દેવ દ્વારા ઉત્પાતરૂપ વિધુત્કાર અને સ્વનિત શબ્દ–મેઘની ગર્જના જે અવાજ કરાય છે, એવું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું. હવે ઉત્પાતરૂપ કાલ્પકાર આદિનું સૂત્રકાર ૧૬ સૂત્રો દ્વારા કથન કરે છે
“તી કાઢું જોવચારે સિવા” ઈત્યાદિ– સત્રાર્થ-ત્રણ કારણોને લીધે લેકમાં અંધકાર થઈ જાય છે. તે કારણે આ પ્રમાણે છે-(૧) જ્યારે અહંત ભગવાન નિર્વાણ પામે છે, ત્યારે લેકમાં અંધકાર વ્યાપી જાય છે. (૨) જયારે અહં ત પ્રરૂપિત ધમની બુછિત્તિ (વિનાશ) થઈ જાય છે એટલે કે જ્યારે તીર્થ–વ્યવછેદકાળ આવે છે, ત્યારે લોકમાં અંધકાર વ્યાપી જાય છે. (૩) જ્યારે ઉત્પાદ આદિ ચૌદે પૂર્વે બુછિદ્યમાન (વિનષ્ટ) થાય છે, ત્યારે લોકમાં અંધકાર વ્યાપી જાય છે.
ત્રણ કારણને લીધે લોકમાં ઉદ્યોત (પ્રકાશ) વ્યાપી જાય છે- (૧) જ્યારે અહંત પ્રભુ ઉત્પન્ન થાય છે, (૨) જ્યારે અહંત પ્રભુ દીક્ષા અંગીકાર કરે છે, અને (૩) જ્યારે અહંત પ્રભુના જ્ઞાનત્પાદને મહિમા થાય છે, ત્યારે લોકમાં પ્રકાશ વ્યાપી રહે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૫ ૩