SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નાખવામાં આવે છે એજ પ્રમાણે જે મરણ દ્વારા આનન્દ રસેપેત મેક્ષફલ. વાળી જ્ઞાનાદિરૂપ આરાધને લતાને દેવેન્દ્ર ગુણવૃદ્ધિની પ્રાપ્તિની અભિલાષાને કારણે નષ્ટ કરી નાખવામાં આવે છે તે મરણને નિદાન મારણ કહે છે. એટલે કે દિવ્ય અથવા માનુષ સંબંધી ઋદ્ધિનાં દર્શન થવાથી અથવા તેની વાત સાંભળવાથી આગામી ભવમાં તેની ચાહના કરવી અને તે ચાહનાપૂર્વક કરવું તેનું નામ નિદાન મરણ છે. જે ભવમાં જીવ હોય તેભવને જ આયુષ્યને બંધ કરીને પુનઃ શ્રિયમાણ (મરતા) જીવનું જે મરણ છે તે મરણને તદ્દભવ મરણ કહે છે. આ પ્રકારનું મરણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મ ભૂમિ જ નરતિચેનાં જ થાય છે–યુગલનાં થતાં નથી. કારણ કે તભવના આયુના બન્ધને સદૂભાવ તે જીમાં જ હોય છે, તેથી તેઓ ત્યાં જ ફરી ઉત્પન્ન થઈ જાય છે. શંકા–શું તે બધાનું તદુભવ મરણ જ થાય છે ? ઉત્તર–એવો નિયમ નથી. જે જી દ્વારા તદ્દભવ ઉપાદાનને અનુરૂપ જ આયુષ્કકમને ઉપચય થાય છે, તેઓ જ તે તદભવ મરણે મરે છે–અન્ય જીની બાબતમાં એવું બનતું નથી. કહ્યું પણ છે કે-“મોનું સમભૂમિ ૨” ઈત્યાદિ અકર્મભૂમિના નર તિર્યંચે, દેવગણ અને નારકે સિવાયના છ જ તદ્દભવ મરણથી મરે છે. તે જીમાં પણ બધાં જીવો એ પ્રકારના મરણથી મરતાં નથી, પરંતુ કઈ કઈ છે જ એ મરણથી મરે છે. ગિરિપતન મરણ–પર્વત પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે. તેને ગિરિપતન મરણ કહે છે વૃક્ષ પરથી પડી જવાને લીધે જે મરણ થાય છે, તેને તરુપતન મરણ કહે છે. પાણીમાં ડૂબી જવાથી જે મરણ થાય છે, તેને જલપ્રવેશ મરણ કહે છે. અગ્નિમાં પ્રવેશ કરવાથી જે મરણ થાય છે, તેને જ્વલનપ્રવેશ મરણ કહે છે. ઝેર ખાવાથી જે મરણ થાય છે, તેને વિષભક્ષણ મરણ કહે છે. કરવત આદિ શ વડે શરીરનું વિવારણ થવાથી જે મરણ થાય છે, તેને શસ્ત્રાવપાટન મરણ કહે છે. ગિરિપતન મરણ આદિ મરશથી મરવું તે શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથ માટે પ્રશસ્ત કહ્યું શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૧૫
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy