SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિદ્યુતપ્રભ નામના બે વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પતે આદિમાં નીચા છે અને અન્ય ભાગમાં ઊંચા છે, તેથી તેમને આકાર અશ્વસ્કંધના જે લાગે છે. નિષધની પાસે તેઓ ૪૦૦ એજન ઊંચા છે અને મેરુની પાસે ૫૦૦ એજન ઊંચા છે. તેઓ અર્ધચન્દ્રના જેવાં સંસ્થાન (આકર) વાળા છે. અહીં અર્ધ શબ્દથી માત્ર વિભાગ જ દર્શાવવામાં આવ્યું છે-સમપ્રવિભાગતા દર્શાવવામાં આવેલ નથી. આ બન્ને વક્ષસ્કાર પર્વતેએ દેવકુરુઓને અર્ધચન્દ્રના આકાર જેવાં કરી દીધાં છે, તેઓ એકસરખાં સ્વરૂપવાળા છે. તેમને વક્ષસ્કાર કહેવાનું કારણ એ છે કે તેઓ પિતાની વચ્ચે રહેલા ક્ષેત્રને ગષ્ય (નજરે ન પડે એવું) કરી નાખે છે. એ જ પ્રમાણે ઉત્તર કુરુઓમાં પણ બે વક્ષસ્કાર પર્વત છે. તેમનાં નામ ગંધમાદન અને માલ્યવાનું છે. પશ્ચિમ તરફ ગંદમાન અને પૂર્વ તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતે આવેલા છે. એજ પ્રમાણે જંબુદ્વીપના મન્દર (સુમેરુ) પર્વતની ઉત્તરમાં ભારત અને દક્ષિણમાં એરવત નામના દીર્ઘ વૈતાઢય પર્વતે આવેલા છે. અહીં વૃત્તવૈતાઢય પર્વતના વ્યવચ્છેદને માટે દીર્ધ પદને પ્રયોગ કરવામાં આવ્યા છે. તે બને દીર્ધતાય પર્વતે ભરત અને ઐરાવત ક્ષેત્રની મધ્યમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં લવણ સમદ્ર સુધી ફેલાયેલા છે. તેમની ઉંચાઈ ૨૫ જનની છે. તેમને ૧/૪ ભાગ જમીનની નીચે અવગાઢ છે. ૫૦ જનને તેમને વિસ્તાર છે. આયત (લાંબા) દંડના જેવું તેમનું સંસ્થાન (આકાર) છે. તેઓ સંપૂર્ણતઃ રજતમય છે. તે બનેને બહાર દેખાવ સેનાના મંડનના ચિહ્નવાળા હોય છે. અર્થાત બહારને ભાગ સુવર્ણમય હોય એવું લાગે છે. ભરત નામના દીર્ઘ વૈતાઢય પર્વત પર બે ગુફાઓ છે, તેમનાં નામ તમિસ્રા ગુફા અને ખંડપ્રપાત ગુફા છે, તમિસા ગકા તેમના પાછલા ભાગમાં છે. તે ગુફાને વિસ્તાર અને આયામ (લંબાઈ) ગિરિના જેવી છે. ૧૨ એજનને તેને વિસ્તાર છે અને તે આઠ યોજન ઊંચી છે. તે આયતચતુરસ સંસ્થાનવાળી છે, તેના દ્વારનું પ્રમાણ વિજયદ્વારના જેટલું જ છે, તેને વજન કમાડ લગાડેલાં છે, તેની વચ્ચે બે એજનથી ત્રણ એજનના વિસ્તારવાળી ઉમજલા અને નિમગ્નજલા નામની નદીઓ વહે છે. તે દીઘવૈતાઢયના પૂર્વ ભાગમાં ખંડપ્રપાત નામની ગુફા છે, તે ગુફાનું વર્ણન તમિસ્રા ગુફાના વર્ણન પ્રમાણે સમજવું. તે બન્ને ગુફામાં બે દેવ રહે છે, તમિસ્રા ગુફામાં કૃતમાલ્યક અને ખંડપ્રપાત ગુફામાં નૃત્યમાલ્યક નામના દે રહે છે. ઐરાવત નામના દીર્ઘવૈતાઢય પર્વતની ગુફાઓનું વર્ણન અને દેવેનું વર્ણન પણ ઉપરના વર્ણન પ્રમાણે જ સમજવું. એજ પ્રમાણે જંબુદ્વીપની મન્દર પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્રહિમવાનું પર્વત પર હિમવત્કટ અને વૈશ્રવણકૂટ નામના બે કટ છે. જો કે ત્યાં અનેક ફૂટ છે, છતાં પણ અહીં દ્વિસ્થાનકનું પ્રકરણ ચાલતું શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧ ૧૭૬
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy