________________
સ્વાહસ્તિકી ક્રિયા અને સૃષ્ટિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયા બે પ્રકારની કહી છે. જીવને પિતાના હાથથી પકડીને તેના દ્વારા જીવને મરાવનાર જીવન જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે, તેને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. વસ્તુને અનાગપૂર્વક અહીં તહીં રાખનાર જીવ દ્વારા જે કર્મબંધ થાય છે, તેને નૈસૃષ્ટિકી ક્રિયા કહે છે. અથવા સ્વભાવતઃ પ્રતિ સમય જે કર્મને બંધ થાય છે તેને નૈષ્ટિકી ક્રિયા કહે છે. સ્વાહસ્તિકી ક્રિયાના નીચે પ્રમાણે બે બેદ છે.
(૧) જીવ સ્વાહસ્તિકી અને (૨) અજીવ સ્વાહસ્તિકી. પિતાના હાથથી પકડેલા જીવ વડે જે બીજાં જીની હત્યા કરાવવામાં આવે છે તે ક્રિયાને જીવ સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. અથવા પોતાના હાથથી કઈ જીવને પકડવામાં આવે અને તે જીવ વડે કોઈ બીજા જીવને મારવામાં આવે છે તે કિયાને સ્વાહસ્તિકી ક્રિયા કહે છે. જેમકે કઈ એક જીવ બેઠેલો હોય તેના માથાને બીજા કોઈ જીવના માથા સાથે અફાળીને મારવામાં આવે તો તે ક્રિયાને જીવ સ્વાહસ્તિની ક્રિયા કહે છે. પિતાના હાથમાં ગ્રહણ કરેલ અજીવ તલવાર આદિ વડે જીવોને મારવાની જે ક્રિયા થાય છે તેને અજવસ્વાહસ્તિની કિયા કહે છે. અથવા પિતાના હાથથી જ જીવને મારે તે જીવસ્વાહસ્તિની ક્રિયા છે અને કોઈ અજીવનું તાડન કરવું તે અજવસ્વાહસ્તિની ક્રિયા છે. એ જ પ્રમાણે નૈસૃષ્ટિકી ક્રિયાના પણ બે ભેદ પડે છે–(૧) જીવ નૈસૃષ્ટિકી અને (૨) અજીવ નૈસૃષ્ટિકી. રાજાદિની આજ્ઞાથી મંત્રાદિ દ્વારા જળને બહાર કાઢવું તે જીવનસુછિકી ક્રિયા છે. તથા બાણ આદિને ધનુષ પર ચડાવીને છેડવા તે અવસષ્ટિકી ક્રિયા છે.
ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર પણ પડે છે-(૧) આજ્ઞાનિક ક્રિયા, (૨) વૈદારણિકા કિયા. આજ્ઞાપન એટલે આદેશ. આ આદેશજન્ય ક્રિયા દ્વારા જે કર્મબંધ થાય છે તેને આજ્ઞાપનિકી કિયા કહે છે. તથા વિદ્યારણુજન્ય કિયાથી જે કર્મબંધ થાય છે તેને વૈદારણિકા ક્રિયા કહે છે. આજ્ઞાપનિકા કિયા બે પ્રકારની હોય છે-(૧) જીવ આજ્ઞાનિકો અને (૨) અજીવ આજ્ઞાનિકા,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૯૯