SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ લગાવી દેવો જોઈએ. “ભૂત” શબ્દ લગાવવાથી કરેલ અથવા કરાવેલ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. એમ કરવાથી પ્રતિજ્ઞા ભંગ દેષ પણ લાગતું નથી. આવી સ્થિતિમાં જે પુરૂષ ક્રોધથી, લેભથી, અથવા પિતાના આગ્રહથી ભત શબ્દને આગ્રહ કર્યા વિના બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. તેઓ પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે. આ પ્રમાણેને ઉપદેશ ન્યાયયુક્ત નથી. બલકે “ભૂત શબ્દને જોડીને કરવામાં આવેલ પ્રત્યાખ્યાન જ ન્યાયયુક્ત છે. હે આયુશ્મન ગૌતમ ! શું આપને તે ચગ્ય લાગતું નથી ? અર્થાત્ હું યુક્તિયુક્ત કહી રહ્યો છે. તેથી આ કથન આપે પણ સ્વીકારવું જોઈએ. આમ કરવાથી પ્રાણિ. ચેની રક્ષાની સાથે પ્રતિજ્ઞાની રક્ષા પણ થાય છે. સૂ૦ ૬ ઉદકપેઢાલપુત્રકો ગૌતમસ્વામીકા ઉત્તર “વાર્થ મા' નો ઈત્યાદિ ટીકાર્થ–ભગવાન ગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાનમાં ‘ભૂત પદને યોજવાની પેઢાલપુત્રની વાત સાંભળીને યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું- હે આયુમન ઉદકી આપનું કથન અમને રૂચિકર લાગતું નથી શ્રમણ અને માહન એવું કહે છે અથવા ઉપદેશ આપે છે કે–તેઓ સમીચીન ભાષા બોલતા નથી, પરંતુ અનુતાપિની ભાષા બેલે છે. કહેવાનો આશય એ છે કે-ત્રસ પદની પછી “ભૂત” શબ્દને જોડવાથી પણ કઈ વિશેષ ફળને લાભ થવાનું નથી. જે અર્થ ત્રસ શબ્દના પ્રયોગથી પ્રતીત થાય છે. એજ વ્યસભૂત શબ્દથી પણ પ્રતીત થાય છે. બંનેને અર્થ એક જ છે. પરંતુ તેનાથી અનર્થ પણ થઈ જાય છે. જેમકે-“ભૂત” શબ્દ સદશપણાનો વાચક પણ દેખવામાં આવે છે. જેમ કે-રેવોમૂતળીને અર્થ દેવકની સરખું નગર એ પ્રમાણે થાય છે. આ સ્થિતિમાં “ત્રસ” શબ્દની સાથે “ભૂત” શબ્દને પ્રચાર કરવામાં આવે તો તેને અર્થ ત્રસ સરખા પ્રાણી તેમ કઈ સમજી લેશે. શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪ ૨૧૯
SR No.006408
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages247
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy