SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કે સૂત્ર અને અર્શીના સબંધમાં મને કાંઇ જ સ ંદેહ નથી વિષમ અને દશેય અર્થની પ્રરૂપણા કરતી વખતે શકાશીલ જ રહે. અથવા જે અથ સ્ફુટ હોય, અસ`દિગ્ધ હાય, તેને પણ એ રીતે ન કહે । જેથી ખીજાને શ ́કા ઉત્પન્ન થાય. સાધુ વિભય વાદનું કથન કરે. અર્થાત્ જૂદા જૂદા નયે!ની ઋપેક્ષાથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને એવું વ્યાખ્યાન કરે, કે જેનાથી કાઈને પણ તે વિષયમાં સ ંદેહ ન રહે. અથવા વભજ્યના અર્થ સ્યાદ્વાદ એ પ્રમાણે છે. એટલે કે કોઈ એક અપેક્ષાથી વસ્તુ છે, અને ખીજી કેાઈ અપેક્ષાથી નથી. આ પ્રકારના સ્યાદ્વાદને જે સઘળા લાકમાં અવિસવાદી હાવાથી નિર્દોષ અને સ્વાનુભવથી સિદ્ધ છે. તેનુ કથન કરે. અથવા સઘળા પદાર્થાના વિભાગ કરીને તેના સંબંધમાં પ્રરૂપણા કરે. જેમકે-સઘળા પદાર્થો પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાથી છે, તથા પરદ્રવ્ય પરક્ષેત્ર, પરકાળ, અને પરભાવની અપેક્ષાથી નથી. કહ્યું પણ છે કે-રેવ સર્વ હો નેઝ્હે' ત્યિાદિ સ્વરૂપ વિગેરે ચતુષ્ટયની અપેક્ષાથી સઘળા પદાર્થીને સત્ કણ નહી સમજે ? એજ પ્રમાણે પરરૂપ વિગેરે ચતુષ્ટયથી તેઓ અસત્ છે. એવું પણ કાણુ નહીં સ્વીકારે ? જો એવું માનવામાં ન આવે તે પદાર્થીનુ સ્વરૂપ સિદ્ધ જ થઈ શકતું નથી. વિભય વાદના કથનથી એ શકા પણ દૂર થઇ જાય છે-સ્યાદ્વાદ મૂળ આગમાથી સિદ્ધ નથી. પરંતુ અર્વાચિન આચાર્યાએ તેના નિવેશ કરેલ છે. ‘વિમન્ત્રવચ’આ મૂળ અક્ષરોથી સ્યાદ્વાદને પ્રાદુર્ભાવ થયેલ છે. જો કે અહિયાં સ્યાદ્વાદનુ' ખીજ રૂપેજ વિધાન કરેલ નથી તેમ સમલંગીના રૂપે પણ નહી' તે પણ વૃક્ષ રૂપથી તે સમય મેળવીને જ થશે. આ વિભજ્યવાદનું કથન પણ એ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૭૬
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy