SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ' ધર્મનું પાલન કરવાને માટે પુત્રપતિને નિમિત્તે, પિતાની પત્ની પર અધિકાર રાખનારો જે તુકાળમાં પોતાની પત્ની સાથે સંભોગનું સેવન કરે, તે તેમાં કોઈ દેષ લાગતો નથી. જેના આ પ્રકારે ઉદાસીનવૃત્તિ ધારણ કરીને સ્ત્રીઓ સાથે કામગ સેવનારને દોષ અવશ્ય લાગે જ છે. જે કઈ માણસ કેઈનું મસ્તક કાપી નાંખીને ઉદાસીનતા ધારણ કરીને ત્યાંથી હટી જાય તે શું રાજ્યદંડમાંથી બચી શકે છે ખરો? કઈ ન જાણે એવી રીતે વિષપાન કરી લઈને ઉદાસીનભાવ ધારણ કરનાર વ્યક્તિ શું વિષની અસરથી મુક્ત રહી શકે છે ખરી ? રાજમહેલમાં ચોરી કરીને કોઈ માણસ ઉદાસીનવૃત્તિ ધારણ કરીને ચુપચાપ બેસી જાય તે શું અપરાધથી મુક્ત થઈ જાય છે ખરો? એજ પ્રમાણે કોઈ પણ પ્રકારે અથવા કોઈ પણ નિમિત્તે સ્ત્રીની સાથે સંગ કરનાર માણસ દેષને પાત્ર અવશ્ય બને જ છે. તેને દેષરહિત ગણું શકાય જ નહીં. કહ્યું પણ છે કે –“વાળિનાં વાધ વૈરાઃ ઈત્યાદિ– મહર્ષિઓએ મૈથુનને શામાં પ્રાણીઓનું ઘાતક કહ્યું છે. જેવી રીતે નળીમાં અગ્નિને તણખે નાખવાથી તેની અંદર રહેલ રૂ આદિનો નાશ થઈ થઈ જાય છે, એજ પ્રમાણે મિથુનનું સેવન કરવાથી જીવને વિનાશ થાય છે. મિથુન અધર્મનું મૂળ છે અને ભયના ભાવની વૃદ્ધિ કરનારું છે. તેથી જેઓ પાપથી બચવા માગતાં હોય, તેમણે વિષમિશ્રિત અન્નની જેમ મૈથુનને ત્યાગ કર જોઈએ. જેવી રીતે ઈચ્છા વગર અથવા અજાણતા પણ અગ્નિને સ્પર્શ થઈ જાય તે અગ્નિ દઝાડયા વિના રહેતી નથી, એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત બનીને પણ મૈથુનનું સેવન કરનારને દેષ અવશ્ય લાગે છે ૧૨ હવે સૂત્રને ઉપસંહાર કરતા સૂત્રકાર ઉપર્યુક્ત દષ્ટાન્ત દ્વારા (ખીલને દબાવવાના, થિર જળ પીનાર પિંગ પક્ષી આદિના દૃષ્ટાન્ત દ્વારા) પિતાના મતનું સમર્થન કરનાર લેકેની માન્યતાનું ખંડન કરે છે.-“gaો ઈત્યાદિ– શબ્દાર્થ–“gવં-gવ' પૂર્વોક્ત પ્રકારથી મૈથુનને નિરવઘ માનવાવાળા “જે ૩- ' કોઈક “વાકરથા-પાર્શ્વસ્થા” પાશ્વસ્થ “fમજીવિટ્ટી-મિષ્પાદg મિથ્યાદષ્ટિવાળા “અળસિયા-મના અનાર્ય “મર્હિ-જામકામભેગમાં અથવા શબ્દ વગેરે વિષયમાં “રજ્ઞાવના-અશુપાના.” અત્યન્ત વધારે આસક્ત હોય છે. “તાળg-તક પોતાના બાળક ઉપર “જૂચના ફુર-પૂરના રૂ’ જેવી રીતે પૂરના નામની ડાકણ આસક્ત રહે છે. ૧ટા સૂત્રાર્થ–આ પ્રકારે કામગોને નિર્દોષ માનનારા કઈ કઈ પાર્શ્વ (શિથિલાચારીઓ) મિથ્યાદષ્ટિ છે અને અનાર્ય છે. તેઓ કામગોમાં એટલાં બધાં આસકત છે કે જેટલી પૂતના ડાકણ બાલકો પર આસક્ત હેય છે. ૧૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૮૧
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy