SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ નિરામગંધ હતા, એટલે કે અવિશુદ્ધિ કેટિ નામના દોષથી રહિત હતા. આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ અતિચાર રહિત મૂળગુ અને ઉત્તર ગુણેથી યુક્ત હોવાને કારણે ચારિત્રવાન હતા. અનેક ઉપસર્ગો આવી પડવા છતાં તેમણે વૈર્યપૂર્વક તેમને સામને કર્યો હતે. આ પ્રકારે મેરુ સમાન અડગ હેવાને કારણે તેમને શૈર્યવાન કહ્યા છે. સમસ્ત કને ક્ષય થઈ જવાને કારણે તેમને આત્મા કર્મ રજથી રહિત થઈને મૂળ સ્વરૂપમાં ચમકતું હતું. તેઓ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) હતા એટલે કે આખા વિશ્વમાં તેમના કરતાં શ્રેષ્ઠ અન્ય કેઈ ન હતું. સમસ્ત પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકવાને તેઓ સમર્થ હતા, તે કારણે તેમને જ્ઞાની કહા છે. તેઓ સુવર્ણ, ચાંદિ આદિ બાહ્ય પરિગ્રહોથી અને કર્મરૂપ આભ્યન્તર પરિગ્રહથી રહિત હતા, તેથી તેમને ગ્રંથાતીત-નિગ્રંથ કહ્યા છે. સાત પ્રકારના ભયથી રહિત હોવાને કારણે તેમને નિર્ભય કહ્યા છે. તેઓ ચારે પ્રકારના આયુથી રહિત હતા, કારણ કે તેમણે કર્મબીજને ઉછેદ કરી નાખ્યું હતું, તે કારણે સંસારમાં તેમને ફરી જન્મ લેવાને ન હતો. તાત્પર્ય એ છે કે મહાવીર ભગવાન સમસ્ત પદાર્થોના દ્રષ્ટા-કેવળીહતા, તેઓ મૂળ અને ઉત્તરગુણેથી યુક્ત વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા હતા. અત્યન્ત ધીર તથા સ્થિતાત્મા હતા. તેઓ સર્વોત્તમ જ્ઞાની, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી રહિત. ભયરહિત અને આયુથી રહિત હતા. ૫ “મૂવો ” ઈત્યાદિ– શબ્દાર્થ–“રે- તે ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી “મૂાવોપ્રતિપ્રજ્ઞા અનન્તજ્ઞાન વાળા અને ‘ળિ વારી-શનિવતાવા” અનિયતાચારી અર્થાત ઈછાનુસાર ફરવાવાળા “શો ઘરે-ઘોષકત્તાક' સંસાર સાગરને પાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૨૧૮
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy