SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ મૃદંગ, પખાલ, ઢોલ, શરણાઈ, વિગેરે અનેક પ્રકારના વાજાઓ વગાડવામાં આવવાથી થનારા શબ્દોને સાંભળવાથી સાધુ અને સાવીને શબ્દ વિશેષને સાંભળવાની આસક્તિ થઈ આવે છે. તેથી સંયમની વિરાધના થાય છે કેમકે સાંસારિક વિષયેની તરફ આકર્ષણ થવાથી તપશ્ચર્યા વિગેરે સામાયિક વિગેરે કરવામાં મન લાગે નહીં અને સંયમનું પાલન પણ થઈ ન શકે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ આવા પ્રકારના આખ્યાયિકા વિગેરેના શબ્દોને સાંભળવા નહીં. અને એ આખ્યાયિકા, કથાનક વિગેરે થતા હોય તેવા સ્થાનમાં થતા શબ્દોને સાંભળવા માટે ઉપાશ્રયની બહાર જવાનો મનમાં સંકલ્પકે વિચાર પણ કરે. નહીં. હવે પ્રકારાન્તરથી કહ કંકાસ તથા રાષ્ટ્ર પરરાષ્ટ્ર વિગેરેમાં કૂટનીતિ, રાજનીતિ વિગેરેના શબ્દ ન સાંભળવા વિષે કથન કરે છે. તે મિક્યુ વા મિલુળી વા તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “ગાવ શુળરૂ થાવત્ જે વફ્ટમાણ પ્રકારથી શબ્દોને સાંભળે “તં જ્ઞા' જેવાકે-“હાન વા' કલહ કજીયા માર પીટમાં થતા ગાળો વિગેરે બીભત્સ શબ્દોને અથવા હિંવાળ વા’ લિંબ અર્થાત્ સ્વરાષ્ટ્ર ચક્રમાં રાજાએના પરસ્પરના વિધિ શબ્દોને એટલે કે પોતાના રાજ્યમાં જ અનેક રાજા મહારાજાના પરસ્પર વિવાદ હવાથી થનારા વિરૂદ્ધ શબ્દોને અથવા મerfણ વા' ડમર અર્થાત્ પરરાષ્ટ્રમાં એટલે કે અન્ય રાજ્યની અંદર એક બીજાને વિવાદથવાથી ઊત્પન્નથનારા શબ્દને અથવા જો રન્નાન વા” દ્વિરાજ્ય એટલે કે બે રાજ્યના રાજાઓની વિરૂદ્ધના શબ્દોને અથવા “રજ્ઞાન વા' વૈરાજ્ય એટલે કે પરસ્પર વેરથી પ્રયુક્ત થતા વિધિ શબ્દોને અથવા “વિહરનારા વ’ વિરૂદ્ધ રાજ્ય એટલે કે વિરેધિરાજ્યોના શબ્દને અથવા “ડાયાસ્ વા તqFITTહું વિચારું સારૂં” આવા પ્રકારના બીજા અનેક પ્રકારથી કુસિત નિંદા સૂચક શબ્દોને સાંભળવાની ઈચ્છાથી ‘નો મિરંધારિજ્ઞા આમળા” ઉપાશ્રયની બહાર કોઈ પણ અન્ય સ્થાનમાં સાધુ કે સાવીએ જવું નહીં. કેમકે–આ પ્રકારના કલહાદિથી ઉત્પન્ન થનારા શબ્દોને સાંભળવાથી રૌદ્રભાવના ઉત્પન્ન થાય છે. અને રૌદ્ર ભાવના ઉત્પન્ન થવાથી સંયમની વિરાધના થાય છે. અને આમાની પણ વિરાધના થાય છે તેથી આત્મકલ્યાણ કરવાવાળા મુનિઓએ સંયમ પાલન માટે આવા પ્રકારના કલહાદિને શબ્દોને સાંભળવા નહીં. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૮૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy