SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું જોઈએ. ઉત્થાન, ઉપવેશન અને પાર્શ્વ પરિવર્તન (પડખું ફેરવવું) વગેરે કાય એગથી અશુભ વચન વેગથી તેમજ આધ્યાન વગેરે યુક્ત મનેયેગથી જે પાપની ઉત્પત્તિનું કારણ છે તેનાથી મુનિ પિતાની જાતને સર્વથા દૂર રાખે. એ ઇંગિત મરણમાં ધૃતિ અને સંહનનથી યુક્ત કે જેના શુભ અધ્યવસા વર્ષનશીલ છે. અને વીતરાગ પ્રભુ દ્વારા પ્રરૂપિત પદાર્થોના સ્વરૂપની શ્રદ્ધા કરવામાં, તેની પ્રરૂપણું કરવામાં અને અન્તરંગ ભાવથી એની સ્પર્શના કરવામાં જેનું ચિત્ત લવલીન બની ગયેલ છે. જેમ સર્ષે પિતાની કાંચળી છોડી દે છે––એના પરિત્યાગથી સાપને કઈ તરેહનું સંકટ કે સંકેચ થતાં નથી. આજ રીતે મારે પણ આ શરીર અવશ્ય છોડવા ગ્ય છે આ પ્રકારને જેણે દઢ નિશ્ચય કરી લીધેલ છે તેવા મુનિ સમસ્ત દુઃખને કઈ પ્રકારના આકંદ વગર સહન કરતા રહે. “એ સંપૂર્ણ દુઃખાદિક પૌગલિક શરીરને જ બાધા કરે છે– ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મારા જેવાનું તે એ કાંઈ પણ બગાડી શકવાના નથી.” આ પ્રકારને વિચાર કરી તે આવેલી સમસ્ત દુઃખજન્ય વેદનાઓને સહન કરવાના સ્વભાવવાળા બને. (૧૮) ઉન્નીસવી ગાથાકા અવતરણા, ગાથા ઔર છાયા | અહિં સુધી ઇગિત મરણને અધિકાર કહ્યો, હવે આગળ પાદપપગમન સંથારાના પ્રકરણને પ્રારંભ થાય છે— ” ઈત્યાદિ. ઈંગિત મરણની અપેક્ષા શ્રેષ્ઠ પાદપોપગમન મરણમેં જો મુનિ સ્થિત હોતા હૈ ઉસકે સભી અંગ અકડ જાયેં તો ભી વહ અપને સ્થાનસે નહીં ઉઠે .. આ સૂત્રમાં “a” એ શબ્દ “તું” ના અર્થમાં આવેલ છે. એ પાપગમન સંથારાની વિધિ કે જે હવે કહેવામાં આવશે તે અગાઉ કહેવામાં આવેલ ભક્તપરિજ્ઞા અને ઇગિનમરણની અપેક્ષાથી શ્રેષ્ઠતર છે. એ મરણમાં પણ પ્રવજ્યાગ્રહણ, સંભેખના વગેરેનું ધારણ, આ બધી વિધિ ઇંગિતમરણની વિધિની માફક જ સમજવી. આ કથનથી પ્રકૃત કથનમાં કઈ વાત આવી? આને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે-જે મુનિ અગાઉની વિધિ પ્રમાણે પાદપેપ શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૨૮૫
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy