________________
તે કહે છે-મહારાજ જ્યારે આપની આ હાલત છે તેા પછી આપ ઠંડીને અગ્નિથી કેમ દૂર કરતા નથી ? તેના ઉત્તરમાં મુનિ કહે છે કે–અગ્નિકાયને થોડા અથવા વધારે ખાળવામાં અને તેનાથી આ શરીરને થોડો અથવા અધિક તાપ આપવામાં મુનિકલ્પ નથી.
ભાવા—અગ્નિકાયના આરંભમાં ષડૂજીવનિકાયની વિરાધના થાય છે માટે શાસ્ત્રમાં આ પ્રકારનો આચાર મનિ માટે નિષિદ્ધ છે. ભલે ભયંકરમાં ભયંકર ઠંડી પડે તો પણ મુનિ આ પ્રકારે અગ્નિના આરંભ કરી શકતા નથી. કેાઈની વિરાધના કરી આ પૌલિક શરીરને સુખી કરવા એવું મુનિનું બ્ય નથી. અગ્નિકાયના આરંભમાં અગ્નિકાયના જીવોની વિરાધનાની સાથે સાથે બીજા જીવાની પણ વિરાધનાના આરંભ અવશ્ય થાય છે, માટે આ પ્રકારના આરંભ કરવાની ભગવાનની આજ્ઞા મુનિ માટે નથી.
આ રીતે સમજાવવા છતાં પણ જો કાઇ અથવા એજ ગૃહસ્થ ભક્તિ અગર દયાના આવેશથી તે મુનિની ઠંડીથી રક્ષા કરવાના અભિપ્રાયથી થોડી ઘણી અગ્નિ સળગાવી તેના શરીરને થાડા રૂપમાં અથવા ઘણા રૂપમાં તપાવવાની ચેષ્ટા પણ કરે તે તે સમય તે ભિક્ષુ આ પ્રકારની તેની ( અગ્નિજ્વાલનાદિ ક્રિયાથી શરીરને તપાવવારૂપ ) ક્રિયાને સાવદ્યના આચરણ રૂપથી વિચારી અને જાણી તે ગૃહસ્થળી આ આચાર અમે મુનિએ માટે અકલ્પનીય હાવાથી કલ્પતું નથી ’ આ પ્રકારે અનાસેવનપરિજ્ઞાથી કહે—તેને સમજાવે. “ વૃત્તિ પ્રીમિ ’ આ પદોના અર્થ પહેલાના ઉદ્દેશમાં કહેવાઇ ગયેલ છે.( સૂ૦૪ )
66
આઠમા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાપ્ત ॥ ૮-૩ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩
9
ܕܕ
૨૪૮