SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દિક પાંચ આચારોથી જે સહિત છે. તથા જે યત્નાવાન છે–પ્રમાદરહિત છે. એ મુનિ ગુરૂના સમીપ રહીને કર્મોને નાશ કરે છે. સ્ત્રી આદિ દ્વારા પરીષહ તથા ઉપસર્ગ થતાં, આ મુનિનું જે કર્તવ્ય છે, તેને સૂત્રકાર “ -ચારિ” પદદ્વારા સ્પષ્ટ કરે છે. તે કહે છે કે–આવા પૂર્વોકત વિશેષણોથી યુક્ત અને અપ્રમાદી તે મુનિ જ્યારે તેના ઉપર સ્ત્રી વિગેરે આદિ દ્વારા ઉપસર્ગ વગેરે કરવામાં આવે છે, અથવા ઉપસર્ગ કરવામાં તત્પર તે જ્યારે તેને દેખે છે, તે તે વિચારે છે કે આ સ્ત્રી જન મારે શું અપકાર કરશે ? કાંઈ પણ નહીં. અને જે સમય મને રેગ વગેરેને ઉપદ્રવ થશે એ અવસ્થામાં પણ તે સ્ત્રી એ રેગથી બચાવી શકશે નહિ અને મને સાથ પણ આપી શકશે નહિ. હું પાંચ મહાવ્રતધારી છું, હું આ મુનિકુળને તિલકભૂત છું, વિષયિક પૃહાને મેં ત્યાગ કરેલ છે – પિતાના જીવનના પહેલાના અત્રત અવસ્થાના સમસ્ત મનેરને ત્યાગ કરી ચુક્યો છું, હું જ્યારે આ પરિસ્થિતિમાં ઉપસ્થિત છું તો હવે આ બ્રીજનદ્વારા અપાતા ઉપસર્ગોની હું અપેક્ષા કેમ રાખી શકું? તેનામાં શું શકિત છે જે મને લાખ ઉપસર્ગ કરવા છતાં પણ મારા પિતાના પદથી વિચલિત કરી શકે ? હાં ! એ તે એને જ લક્ષથી ભ્રષ્ટ કરી શકે છે કે જે પ્રમાદમય આનંદને ઈચ્છનાર – પ્રમાદી છે. મારા જેવા અપ્રમાદીને નહીં. કેમ કે સ્ત્રીઓને વશ વિષયી લેક જ બનતા હોય છે. સંયમી એને વશ બનતા નથી. આ વાતમાં સ્વમતિની કલ્પનાનો નિષેધ કરીને સૂત્રકાર કહે છે “મુનિના” ઈત્યાદિ. આ આખુંયે પૂર્વોક્ત કથન અને હવે પછી કહેવામાં આવનાર કથન આ બધું તીર્થંકર ગણધર આદિ દ્વારા જ ઉપદિષ્ટ છે. અહિં “દુ” શબ્દ અવધારણ અર્થમાં છે. તેઓએ આ સઘળે વિષય ૧૨ પ્રકારની પરિષદમાં પ્રતિપાદિત કરેલ છે. વક્ષ્યમાણ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કર્યાદામાનઃ” ઈત્યાદિ. હે શિષ્ય! કદાચ કોઈ મુનિ ગ્રામધર્મ-પતપોતાના વિષયમાં સમાસકત સ્વભાવવાળી ઈન્દ્રિયથી પ્રબળ રીતે બાધિત કરવામાં આવે તો એ સમયે એણે જોઈએ કે તે નિર્બળ ઈન્દ્રિયોને ઉત્તેજીત નહિ કરવાવાળા રસબળરહિત એવા પુરાતન કાળથી આદિ અન્નનું તથા ખાટી છાશથી મિશ્રિત બાલચણા વગેરેથી નિષ્પાદિત એવા ઠંડી–વાસી રોટલી આદિનું ભોજન કરે. નીરસ ભજન કરવાથી જે ગ્રામધર્મનું ઉપશમ ન બને–મોહની શાન્તિ ન થાય તે શું શું કરે? આ પ્રકારની શંકાનું સમાધાન કરવા નિમિત્તે સૂત્રકાર “મામૌર્ય ” કહે છે અર્થાત-જીવનયાત્રાના નિર્વાહ માટે સાધુજન એવી હાલતમાં શ્રી આચારાંગ સૂત્ર : ૩ ૧૧૧
SR No.006403
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy