SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે તેલ વગરને દેવે થોડા જ સમયમાં બુઝાઈ જાય છે તે પ્રકારે આયુકર્મ પણ તત્તર્ભાવસંબંધી કર્મપુદ્ગલેના અભાવથી થોડા જ કાળમાં સમાપ્ત થાય છે. જેમાં પાણીનું મેજું, અને ચન્દ્રમાને પાણીમાં પડતે પ્રતિબિમ્બ, અથવા વિજળી લાખ પ્રયત્ન કરવા છતાં પણ સ્થિર કરાતી નથી તેવી રીતે તત્તર્ભાવસંબંધી આયુની સમાપ્તિ થવાથી તે એક પણ ક્ષણ રેકી અગર વધારી શકાતું નથી. આ અભિપ્રાય ચિત્તમાં ધારણ કરી સૂત્રકારે “ટૂ માનવાનામ્ ગણપન્ ગાયુ એમ કહ્યું છે. હવે આ વાતને સ્પષ્ટ કરે છે – આ જગ્યાએ કેટલાક મનુષ્યની જે આયુ અલ્પ કહેવામાં આવી છે તેથી એમ સમજવાનું છે કે જે મનુષ્ય રાતદિન સાવદ્ય કાર્યોના અનુષ્ઠાનમાં જ રચેલે રહે છે, સંયમભાવથી રહિત છે તેવા મનુષ્યના દીર્ઘકાલિક આયુકમ પણ આવા અનુષ્ઠાનથી ટુંકા જેવા થઈ જાય છે, તથા સંયમી જીના ટુંકા પણ આયુકમ નિરવદ્ય અનુષ્ઠાનથી દીર્ઘ જેવા થાય છે. દીર્ઘકાલિક જન્મ-મરણના વિનાશથી જ આયુની સફળતા છે. " अल्पं च खलु आयुष्कम् इह एकेषां मानवानाम्" અહીં “ઘsi માનવાના આશુ પં મવતિ” આ પ્રકારે અન્વય લગાડે જોઈએ. આયુની અલ્પતા ક્ષુલ્લક–બધાથી નાના-ભવની અપેક્ષાથી પ્રકટ કરેલ છે કારણકે મનુષ્ય અને તિર્યંચેના આયુકર્મની સ્થિતિ શાસ્ત્રમાં બે પ્રકારે વર્ણિત છે. (૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ જધન્ય સ્થિતિ અતમુહર્તની છે અને ઉત્કૃષ્ટ ઉત્તરેતર એક સમયાદિની વૃદ્ધિથી લગાવી ત્રણ પત્યની છે, આ યુગલિયાની અપેક્ષાથી છે. ભેગભૂમિમાં જીવને સંયમની પ્રાપ્તિ થવાને અવસર નથી, માટે ત્રણ પલ્યની પરિમિત દીર્ઘ આયુ પણ અલ્પ જેવી છે. અર્થાત્ તેથી જીવને નિજ કઈ પણ પરમાર્થ સધાતે નથી, કેવળ ભેગાદિકના ઉપભેગથી જ તે નિષ્ફળ થાય છે. સંયમારાધનથી જ કાળની એક ક્ષણ સુધીની સફળતા મનાય છે, તે પ્રકાર અન્તર્મહત્ત્વથી લગાવી દેશોનપૂર્વ કેટિ–દેશ ઉન એક કરોડ પૂર્વ-પરિમિત આયુ પ્રાપ્ત થવાથી પણ તેમાં સંયમકાળને અભાવ હોવાથી તે પણ અલ્પજ છે, અથવા અન્તમૂહર્તાકાળ પરિ મિત આયુને છેડીને શેષ સમસ્ત આયુ અપવર્તનશીલ હોવાથી અને ક્ષણક્ષણમાં આયુને ક્ષય હોવાથી રિપથોમપરિમિત ત્રણ પલ્યોપમ આયુ પણ અલ્પજ છે. દીર્ધકાલિક આયુકર્મના પરમાણુઓને ખેંચીને થોડી સ્થિતિવાળા આયુકર્મના પરમાણુઓમાં સ્થાપિત કરવાનું નામ આપવર્તન છે. સેપક્રમ અને નિરૂપક્રમના ભેદથી આયુ બે પ્રકારની છે. ભગવતી સૂત્રમાં ભગવાને આ વાત કહી છે?— "जीवा गं भंते ! किं सोवकमाउया निरुवकमाउया ?, गोयमा! जीवा सोवकमाउया विणिरुवकमाउया वि" કૃતિ (મ. સા. ૨૦ ૩, ૨૦). શ્રી આચારાંગ સૂત્ર : ૨ ४०
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy