SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ ઉત્પન્ન યથાર્થવસ્તુસ્વરૂપની રૂચિરૂપ શ્રદ્ધાથી વિષયવૈરાગ્યપૂર્વક એક એ થાય છે કે-જેને પહેલા કેઈ વખત અનુભવ થયે નથી. અનિવૃતિકરણ અનિવૃત્તિકરણ– ગ્રંથિભેદના અનન્તર (તરતના) કાળમાં અત્યન્ત વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તે “નિવત્તિ' કહેવાય છે. આ પરિણામ પ્રાપ્ત થયા પછી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના પાછા નથી ફરતે તેથી જ એને નિવૃત્તિવાળ કહે છે. નિવૃત્તિ જીવ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. તેનેજ નૈસર્ગિક (સ્વાભાવિક) શ્રદ્ધા કહે છે. શંકા–પહેલાં કહ્યું હતું કે- મિથ્યાત્વમેહનીય કર્મના ઉપશમ આદિથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને પછી કહે છે કે-“નિસર્ગ અથવા અધિગમથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એ કથન પરસ્પર અસંગત છે. સમાધાન–મિથ્યાત્વમેહનીય કર્મને ક્ષયપશમ આદિ, નિસર્ગથી અથવા અધિગમથી થાય છે, એવી સ્થિતિમાં આ બન્ને કારણે શ્રદ્ધાનાજ છે તેથી કઈ દોષ નથી. શંકા–જીવને સમ્યક્ત્વ ન હોય તે પણ જેવી રીતે એવડી મહાભારી કર્મ સ્થિતિને ગ્રંથિભેદના પહેલાજ અથાગવૃત્તિળના દ્વારા ખપાવી નાંખે છે તે પ્રમાણે શેષ સ્થિતિ પણ યથાપ્રવૃત્તિકરણદ્વારાજ ખપાવી નાંખે અને મેક્ષ પણ આ પ્રમાણે પ્રાપ્ત કરી લીએ તે પછી કપૂરને આશ્રય લેવાની શું આવશ્યકતા છે ? સમાધાન–મહાવિદ્યાની સાધના પ્રમાણેજ અહિં સમજી લેવું જોઈએ. જેમ મહાવિદ્યાની સાધનામાં પહેલાં થેડે એ શ્રમ થાય છે, પરંતુ જ્યારે તેની સિદ્ધિને સમય નજીક આવે છે ત્યારે તે વિદ્યાની અધિષ્ઠાત્રીદેવતા દ્વારા કરવામાં આવતા નાના પ્રકારના ઉપસર્ગો દ્વારા વિદનયુક્ત થઈ જાય છે. અને ઘણું કરીને અત્યન્ત કષ્ટસાધ્ય બની જાય છે એ પ્રમાણે ગ્રંથિભેદ પણ મન ક્ષોભ આદિ અનેક ઉપસર્ગોના કારણે વિદનયુક્ત થઈ જાય છે, અને તે ગ્રન્થિભેદના કરવામાં ભારે શક્તિની આવશ્યકતા હોય છે, એટલા માટે એકલા થાકવૃત્તિ રજીથી ગ્રથિભેદ થતું નથી, તેને માટે અપૂર્વજળની આવશ્યકતા રહે છે, એ પ્રમાણે પૂર્વવા–દ્વારા ગ્રંથિભેદ કરવાથી શનિવૃત્તિવાળ-દ્વારા શ્રદ્ધા પ્રાપ્ત કરવામાં આવે છે શ્રી આચારાંગ સૂત્ર : ૧ ૧૯૮
SR No.006401
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy