SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ તત્વાર્થસૂત્રને વાનવ્યન્તરની અપેક્ષા તિષ્કના, તિષ્કની અપેક્ષા ભવનપતિના, ભવનપતિની અપેક્ષા વૈમાનિક આદિના આયુ પ્રભાવ અનુભાવ સુખ, દુતિ, વેશ્યાવિશુદ્ધિ યથા યોગ્ય શુદ્ધિ ઈન્દ્રિયના “વિષય અને અધેિ જ્ઞાનના વિષય અધિક-અધિક છે પરંતુ ઉપરના દેવેમાં ગતિ અર્થાત દેશાન્તરમાં ગમન શરીર પ્રમાણ અર્થાત્ ઉંચાઈ પરિગ્રહ મૂચ્છ અને અભિમાન અહંકાર આ બધાં ઉત્તરોત્તર અલ્પ હોય છે. ૨૮ - તત્ત્વાર્થનિર્યુકિત-પ્રથમ ભવનપતિઓથી લઈને સર્વાર્થસિદ્ધ પર્યન્ત બધાં દેવના યથા એગ્ય વિષયભેગ, ઉપભેગ, તથા ઈન્દ્ર આદિના સ્વરૂપનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે એ નિરૂપણ કરીએ છીએ કે પૂર્વે કહેલાં બધાં દેવમાં પહેલાવાળાની અપેક્ષા પછીના દેવામાં આયુ, પ્રભાવ, સુખ, લેશ્યાવિશુદ્ધિ ઈન્દ્રિય વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક–અધિક હોય છે પરંતુ ગતિ, શરીરપ્રમાણ પરિગ્રહ અને અભિમાન ઓછા હોય છે – અસુરકુમાર આદિ ભવનપતિ, કિન્નર આદિ વનવ્યન્તર, ચન્દ્ર સૂર્ય આદિ તિષ્ક અને સૌધર્મ–ઈશાનથી લઈને સર્વાર્થસિદ્ધ સુધીના વૈમાનિક દેવામાં પૂર્વ–પૂર્વ દેવેની અપેક્ષા ઉત્તરોત્તર અર્થાત્ પછી–પછીના દેવામાં આયુ અર્થાત સ્થિતિ, પ્રભાવ અર્થાત અનુભાવ, સુખ, દુતિ અર્થાત્ કાન્તિ, વેશ્યાવિશુદ્ધિ અર્થાત કાળી, નીલી, કાપત, પીળી, પદ્મ અને શુક્લ લેશ્યાઓની શુદ્ધિ ઈન્દ્રિયોના વિષય અને અવધિજ્ઞાનના વિષય અધિક-અધિક હોય છે. આ રીતે પહેલા–પહેલાં દેવોની સરખામણીએ પછી-પછીના દેવ આયુમાં અધિક છે. નિગ્રહ કર–અનુગ્રહ કર, વિક્રિયા કરવી તથા પરાભિયોગ કરે, આ બધાં પ્રભાવ કહેવાય છે. પૂર્વ-પૂર્વના દેવેની અપેક્ષા ઉત્તરોત્તર દેવોમાં પ્રભાવ વધારે હોય છે. આવી જ રીતે સુખ, કાન્તિ, વેશ્યાની વિશદ્ધતા ઇન્દ્રિયો દ્વારા પોત-પોતાના વિષયોને ગ્રહણ કરવાની શક્તિ અને અવધિજ્ઞાન એ બધાં પણ પહેલા-પહેલાના દેવોની અપેક્ષા પછી–પછીના દેવોમાં વિશેષ હોય છે તાત્પર્ય એ છે કે પૂર્વવત્તી દેવ પિતાની ઇન્દ્રિયો વડે જેટલી દૂરની વસ્તુએનું ગ્રહણ કરે છે; ઉત્તરોત્તર દેવ તેમની અપેક્ષા અધિક ફરના પદાર્થો-વિષયોને જાણે છે આનું કારણ એ છે કે ઉત્તરોત્તર દેવ ઉત્કૃષ્ટ ગુણવાળા અલપતર અંકલેશવાળા હોય છે. અવધિજ્ઞાન પણ પૂર્વ–પૂર્વ દેવેની અપેક્ષા ઉત્તરોત્તર દેવમાં વિશેષ જોવા મળે છે. દા.ત. સૌધર્મ અને ઈશાન કલ્પના દે અવધિજ્ઞાન દ્વારા નીચે રત્નપ્રભાના ચરમાન–છેવટના ભાગ સુધી જોઈ– જાણી શકે છે. તિછી દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો પર્યન્ત જાણે-જુએ છે અને ઉપર પિતા-પિતાના વિમાનો સુધી અર્થાત્ વિમાનની ધજા સુધી જાણે દેખે છે. સનસ્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવ નીચે શર્કરપ્રભા પૃથ્વીના અન્તિમ ભાગ સુધી જુએ જાણે છે, તિછી દિશામાં અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે જુવે અને ઉપર ઉપર પોત-પોતાના વિમાનની ધ્વજા સુધી જાણે-જુવે છે. આ રીતે અવધિજ્ઞાનના ક્ષેત્ર પછી-પછીના દેવેના અધિક-અધિક હોય છે. | વિજય, વૈજ્યન્ત આદિ પાંચ અનુત્તર વિમાનોના દેવ પિતાના અવધિજ્ઞાન દ્વારા એક દેશ તે લેકને જાણે–જુવે છે પરંતુ દેશાન્તરમાં ગમન રૂ૫ ગતિ શરીરની લંબાઈ પરિગ્રહ અને શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy