________________
૨૫૪
તત્વાર્થસૂત્રને તત્ત્વાર્થદીપિકા–પહેલાં ભવનપતિ, વનરાન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેના સામાન્ય અને વિશેષ રૂપે સ્વરૂપ બતાવ્યા, ત્યાર બાદ ચારે પ્રકારના દેવામાં જોવાતી કૃષ્ણ નીલ વગેરે લેશ્યાઓનું નિરૂપણ કીધું હવે એ બતાવીએ છીએ કે ચારે નિકામાંથી કેનામાં ઈન્દ્ર, સામાનિક આદિ કેટલાં ભેદ હોય છે ? આ પ્રશ્નનું સમાધાન કરવા માટે સૌ પ્રથમ ક૯પપન્નક વૈમાનિક દેના ઈન્દ્રાદિ દશ ભેદનું પ્રતિપાદનક કરીશું–
સૌધર્મથી લઇને અચુત પર્યન્ત બાર કલ્પપપન્નક વૈમાનિક દેવામાં આજ્ઞા ઐશ્વર્ય આદિ તથા ભેગોપગ વગેરેના સમ્પાદક રૂપથી ઈન્દ્ર આદિ દસ પરિવાર હોય છે.
(૧) ઈન્દ્ર–અન્ય દેવેને પ્રાપ્ત ન થઈ શકનાર અણિમા આદિ ગુણના વેગથી જે સંસ્કૃત અર્થાત્ પરમ ઐશ્વર્યને પ્રાપ્ત હોય છે તે ઇન્દ્ર કહેવાય છે. તે રાજાના જેવું હોય છે.
(૨) સામાનિક–જે ઇન્દ્ર તે ન હોય પરંતુ ઈન્દ્રના જેવો હોય અથત ઈન્દ્રના જેવા જ જેમના મનુષ્ય, વીર્ય, પરિવાર ભેગ અને ઉપગ હોય પરંતુ ઈન્દ્રની માફક આજ્ઞા અને ઐશ્વર્ય ન હોય, તે, સામાનિક દેવ કહેવાય છે. તેમને મહત્તર” પણ કહે છે. આ દેવ રાજાના પિતા ગુરૂ અથવા ઉપાધ્યાય જેવા હોય છે.
(૩) ત્રાયશ્ચિંશ—આ મંત્રી અને પુરોહિત સ્થાનીય છે. મિત્ર, પીઠ મર્દ વગેરે સમજવા. (૪) આત્મરક્ષક—આ ઈન્દ્રની રક્ષા કરનારા અંગરક્ષક જેવા છે.
(૫) લોકપાલક-જનતાની રક્ષા કરવાવાળા, ખજાનચીની માફક અર્થચર, કોટવાલની જેમ દેશરક્ષક, દુર્ગપાળની જેમ મહાતલવર દેવ લોકપાળ કહેવાય છે.
(૬) પારિષદ- સદસ્ય (સભ્ય) જેવાં.
(૭) અનીકાધિપતિ–-પાયદલ, ગજદળ, હયદળ. રથદળ વગેરે સાત પ્રકારની સેનાઓનાં અધિપતિ-એમને દષ્ઠસ્થાનીય પણ કહી શકાય.
(૮) પ્રકીર્ણક–નાગરિક-જનતા જેવા. (૯) આભિગિક-સેવકની જેવા જે વાહન વગેરેના કામમાં આવે છે. (૧૦) બિષિક--દિવાકીર્તિ નાપિત્તની જેવા ચાન્ડાળની જેવા ભિન્ન કોટિના દેવ.
ઇન્દ્ર આદિ આ દસ ભેદ સૌધર્મ આદિ અચુત દેવલેક સુધી બાર વૈમાનિકે માં આ દસે ભેદો જોવામાં આવે છે-કેઈ, કઈ સ્થળે--અબે દેવકેમાં આ ભેદ હોય છે ૨૩
તવાર્થ નિયુકિત–આની અગાઉ ભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક દેવની કૃષ્ણ, નીલ વગેરે છ વેશ્યાઓનું યથાયોગ્ય પ્રતિપાદન કરવામાં આવ્યું હવે તેજ દેના આજ્ઞા, એશ્વર્ય, લેગ, ઉપભોગ આદિના સમ્પાદન માટે ઈન્દ્ર આદિ દસ ભેદ હોય છે તેમનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ ભવનપતિ અને કફપપપન્ન-વૈમાનિક દેવમાં થનારા દશ ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ--કલ્પપપન્નક દેના ઈન્દ્ર, સામાનિક, ત્રાયઅિંશક, આત્મરક્ષક લોકપાલ, પરિષદુપપન્નક (પરિષદ), અનીકાધિપતિ, પ્રકીર્ણક અભિયોગિક અને કિલ્બિષિક આ દસ-દસ દેવ હોય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧