SearchBrowseAboutContactDonate
Page Preview
Page 946
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂવને નીકળેલા પેટવાળા, નીલવર્ણ, સુન્દર અને માછલીના ચિહ્નવાળા હોય છે. સ્વનિતકુમાર સ્નિગ્ધ અને ગંભીર તથા મેટા અવાજવાળા, સોનેરી વર્ણ તથા મોટાચાપવાળા દારૂ પાત્રના ચિહ્નવાળા હિંચ છે. આ બધાં જુદા જુદા પ્રકારના વસ્ત્ર અને આભૂષણોવાળા હોય છે જે નારકીના જીના અસુ-પ્રાણનું હરણ કરે છે અર્થાત તેમને અંદર અંદર લડાવીને દુઃખ ઉત્પન્ન કરે છે તેઓ અસુર કહેવાય છે અસુર મોટા ભાગે સંકિલષ્ટ પરિણામવાળા હોય છે. અસુર રૂપ કુમારને અસુરકુમાર કહે છે. જે ગતિ ન કરે તેમને નગ કહે છે અર્થાતુ પર્વત અથવા ચન્દન વગેરે વૃક્ષે. તે નગમાં થનારા કુમારેને નગકુમાર કહે છે. જેમના પગ અર્થાતુ પાંખે સુન્દર હોય તે સુપર્ણ જેઓ વિદ્યોતિત-દીપ્ત હોય તે વિદ્યુત જે પોતાના અંગોને પાતાળલેકમાં છોડીને કીડા કરવા માટે ઉપર આવે તે અગ્નિ. ઉદક (જળ) એકઠું થાય છે જેમાં તે ઉદધિ અર્થાત સમુદ્ર અને ઉદધિમાં ક્રીડા કરનારા દેવ પણ ઉદધિ કહેવાય છે. પાણી (અ) જેમની બે તરફ હોય તે દ્વીપ અને દ્વીપમાં કીડા કરનારા દેવ પણ દ્વીપ કહેવાય છે. જે અવકાશ આપે છે તે દિશાઓ કહેવાય છે દિશાઓમાં કીડા કરવાવાળા દેવ પણ દિશા કહેવાય છે. જે વાય છે ચાલે છે અર્થાત તીર્થકરના વિહાર માર્ગને સ્વચ્છ કરે છે તે વાયુ. જેઓ સ્તનન્તિ અર્થાત શબ્દ કરે છે તે સ્વનિત અથવા જેઓએ સ્તન અર્થાત શબ્દ કર્યો હોય તે સ્વનિત આવા કુમારે અસુર કુમાર આદિ કહેવાય છે. અસરમાર આદિના ભવનની સંખ્યા સામાન્ય રૂપથી સાત કરોડ, બેતેર લાખ (૭, ૭૨,૦૦૦૦૦) છે. વિશેષ રૂપથી દક્ષિણ દિશાના અસુરકુમારોના ભવન ચેત્રીશ લાખ અને ઉત્તર દિશાવાળાના ત્રીસ લાખ છે. બંને દિશાઓના મળીને ચેસઠ લાખ ભવન છે. દક્ષિણ દિશાના નાગકુમારને ભવન ચુંમાળીસ લાખ અને ઉત્તર દિશાના નાગકુમારના ભવન ચાળીશ લાખ છે. બંનેના મળીને ચોરાસી લાખ છે - દક્ષિણ દિશાના દ્વિીપકુમારો દિશાકુમાર, ઉદધિકુમારે વિઘુકુમારો સ્વનિતકુમાર અને અગ્નિકમારો એ છના પ્રત્યેકના ચાળીસ-ચાળીશ લાખ ભવન છે અને ઉત્તર દિશામાં રહેનારાં દ્વીપકુમારે, દિશાકુમાર, ઉદધિકુમારે, વિકુમારે સ્વનિતકુમાર અગ્નિકુમાર એ છએના પ્રત્યેકના છત્રીસ છત્રીસ લાખ છે. બંને દિશાઓના મળીને પ્રત્યેકના ઇંતેર-છોતેર લાખ ભવન છે. - દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડત્રીસ લાખ ભવન છે, ઉત્તરદિશાના સુપર્ણકુમારોના ચિત્રીસ લાખ છે બંનેના મળીને બોંતેર લાખ છે. દક્ષિણ દિશામાં નિવાસ કરનારા વાયુકુમારના પચાસ અને ઉત્તરદિશાના વાયુકુમારના છેંતાળીશ લાખ; બંનેના મળીને છનું લાખ ભવન છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેના પ્રકરણમાં કહ્યું છે— ભવનપતિદેવ દશ પ્રકારના છે જેમકે–(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વિીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) વાયુકુમાર અને (૧૦) સ્વનિતકુમાર છે ૧૭ “વાત અવિદ ઈત્યાદિ સૂત્રાર્થ–વાણુવ્યંતર દેવ આઠ પ્રકારના છે ૧૮ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy