SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ગુજરાતી અનુવાદ અ. ૪. પાપાચાર કરવાથી ચતુ ગતિ ભ્રમણનુ કથન સૂ. ૧૬ કથન કરવામાં આવ્યું. હવે એવી કેટલીક ભાવનાઓનું પ્રરૂપણ કરવામાં આવી રહ્યું છે જે બધાં વ્રતા માટે સમાન છે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આસવાનુ સેવન કરનારને આ લેાકમાં અને નરક વગેરે પલાકમાં તીવ્ર દુઃખાના અનુભવ કરવા પડે છે. હિંસા—વગેરેના ફળસ્વરૂપ ઘાર યાતનાઓ સહન કરવી પડે છે. કદી એવું ન થાય કે મારે પણ આ દુઃખાને સહન કરવા પડે એ પ્રકારે વારવાર વિચાર કરનાર વ્રતી પુરુષ હિંસા આદિ થાય તેવી પ્રવૃત્તિ કરતા નથી. જેવી રીતે પ્રાણાતિપાત, અસત્યભાષણ અને ચારી કરનારાઓને સંખ્યાબંધ અનર્થાના સામના કરવા પડે છે, તેવી જ રીતે અબ્રહ્મનું સેવન કરવાવાળાઓને પણ જુદા જુદા પ્રકારનાં દુઃખા ભાગવવા પડે છે. સ્ત્રીના હાવ ભાવને જોઈ ને જેમનું મન પાગલ થઈ જાય છે, જેમની ઇન્દ્રિઓ કાબૂમાં રહેતી નથી અને હલકા વિષયામાં પ્રવૃત્ત થાય છે જે મનેાસ શબ્દ રૂપ ગધ રસ અને સ્પર્શીમાં જે રાગના કારણેા છે, અનુરક્ત થઈને મર્દોન્મત્ત હાથીની જેમ નિર'કુશ થઈ જાય છે, ઇષ્ટ પ્રવૃત્તિ અને અનિષ્ટ નિવૃત્તિના વિચારથી શૂન્ય છે તેમને કશે પણ ઠેકાણે સુખ શાન્તિ પ્રાપ્ત થતી નથી. તેએ માહથી પીડાઈ ને કૃત્ય-અકૃત્યના વિવેકથી રહિત હાવાના કારણે પેાતાના દરેક કાને સારૂં જ સમજતા હેાય છે એમની દશા એવી થઈ જાય છે માને તેમને ભૂત ન વળગ્યુ હાય ! જે પુરુષો પરીલ પટ હાય તેઓ આ લેાકમાં ઘણા માણસાની સાથે દુશ્મનાવટ બાંધે છે અને ઇન્દ્રિય છેદન, વધ–અન્ધન, સર્વસ્વ લુંટાઈ જવા વગેરે અનર્થાને વહારે છે. હિંસા આદિ પાપાનું આચરણ કરનારને પ્રથમ તે આ લોકમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને આગામી જન્મામાં જઈ ને ભયાનક કષ્ટ સહેવા પડે છે આ જાતનું પુનઃ પુનઃ ચિન્તવન કરવું જોઇએ. હિંસા કરવાથી કઈ રીતે ઘાર દુઃખા સહન કરવા પડે છે એનુ' દિગઢ'ન અહીં કરાવાય છે— હિંસક જન હમેશાં ત્રાસદાયક અને ભયંકર હાય છે તે ભયાનક વેષ પરિધાન કરે છે, પેાતાની ભ્રમરો કપાળ ઉપર ચઢાવે છે, તેના ચિત્તપ્રદેશમાં ઈર્ષ્યા અને દ્વેષના વાસ હાય છે આથી તેની આકૃતિ ભીષણ હેાય છે. તે દાંત પીસે છે, હાટ ખીરૂં છે અને તેની આંખામાંથી ક્રૂરતા વરસતી હેાય છે. પ્રાણીઓ માટે તે ઘણુા જ ત્રાસજનક હાય છે. હમેશા તેમની સાથે દુશ્મનાવટ ખાંધેલી રાખે છે. તેને આ જન્મમાં જ લાઠીઓ તથા કારડાએ વડે ફટકારવામાં આવે છે, હાથકડી અને જજીરાથી બાંધવામાં આવે છે અને વિવિધ પ્રકારની લાકડીએ તથા ઇંટો વગેરે દ્વારા તેને કષ્ટો અપવામાં આવે છે. પરલાકમાં તેને નરક વગેરે દુર્ગાંતિ પ્રાપ્ત થાય છે. તે લેાકમાં ગહિત અને નિન્દાને પાત્ર અને છે. આ વખતે તેને આ સત્યનું ભાન થાય છે કે—મને પાપીને પૂર્વ જન્મમાં કરેલાં પાપાનુ જ ફળ ભેગવવુ પડે છે. આ જાતની ભાવના કરતા થકા તે વિચારે છે કે હિંસાથી વિત થવું એ જ મારા માટે શ્રેયસ્કર છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy