SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ તત્વાર્થસૂત્રને આવશ્યક–અહીં આવશ્યક પદથી આવશ્યક ક્રિયાનું કરવું એમ સમજવું જોઈએ. સામાયિક આદિ આવશ્યકેનું ભાવપૂર્વક અનુષ્ઠાન કરવું–સવારે અને સાંજે આવશ્યક ક્રિયાનું આચરણ કરવું, આથી પણ તીર્થકર નામ કર્મ બંધાય છે. રાગદ્વેષ વગરના સમની પ્રાપ્તિનેસમાય કહે છે. સમાય અર્થાતું જ્ઞાન આદિનો લાભ જેનું પ્રયોજન હોય તે સામાયિક છે. સાવદ્યપાપકારી-કર્મોથી વિરત થવું પ્રતિક્રમણ વગેરે છે. “આદિ શબ્દથી અહીં ચતુર્વિશતિસ્તવ (વીસ જીનેશ્વરની સ્તુતિ) વગેરે સમજવું. જે દિવસ અને રાત્રીના છેવટના ભાગથી અવશ્ય કરવા ગ્ય હોય તે આવશ્યક છે. આ આવશ્યક ૧૭ પ્રકારના સંયમ વિષયક વ્યાપાર રૂપ હોવાથી વિવિધ પ્રકારના છે જેવા કે-ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર આદિ. એમનું અનુષ્ઠાન સદ્ભાવપૂર્વક કરવાથી, યથાકાળ વિધિપૂર્વક, ન્યૂનતા અને અધિકતા વગેરે દેને પરિત્યાગ કરીને સંયમપૂર્વક આચરણ કરવાથી તીર્થકર નામ કર્મ બંધાય છે. (૧૨) શીલ તથા વ્રત–આનું નિરતિચાર પાલન કરવાથી પણ તીર્થકર નામ કર્મ બંધાય છે. અત્રે શીલતે અર્થ છે – પિડવિશુદ્ધિ, સમિતિ, ભાવના આદિ ઉત્તર ગુણ અને જુદા જુદા પ્રકારના અભિગ્રહ, કારણ કે આનાથી મુમુક્ષુને સમાધિની પ્રાપ્તિ થાય છે. પાંચ મહાવ્રત અને રાત્રિભોજનને ત્યાગ અને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. એમનું પૂર્ણ રૂપથી નિરતિચાર પાલન કરવું અર્થાત્ સંયમનો સ્વીકાર કરવાથી લઈને જીવતા પર્યંત અપ્રમત્તભાવથી સેવન કરવું નિરતિચાર શીલ-વ્રત પાલન કહેવાય છે અર્થાત્ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન દ્વારા પ્રણીત સિદ્ધાંત અનુસાર શીલ અને વ્રતનું અનુષ્ઠાન કરવું નિરતિચાર શીલવ્રત પાલન કહેવાય છે. આનાથી પણ તીર્થકર નામ કર્મ બંધાય છે. (૧૩) ક્ષણલવ—આ કાળનું સૂચક છે. ક્ષણભર અથવા લેશમાત્ર પણ પ્રમાદ ન કરતાં શુભ ધ્યાન ધરવું. (૧૪) તપ–પિતાની શક્તિ અનુસાર તપસ્યા કરવાથી પણ તીર્થંકર નામ કમ બંધાય છે. જે કર્મોને બાફી નાખે–શેષી લે તે તપ, તપ બે પ્રકારના છે–બાહ્ય અને આભ્યન્તર. બાહ્ય તપ છ પ્રકારના છે અને આભ્યન્તર તપ પણ છ પ્રકારના છે પ્રાયશ્ચિત્ત વગેરે આભ્યન્તર તપ છે જ્યારે ઉપવાસ વગેરે બાહ્ય તપ છે. આ તપને જે લૌકિક પૂજા–પ્રતિષ્ઠા, સત્કાર સન્માન વગેરેની ઈચ્છા વગર માત્ર કર્મનિર્જરાના આશયથી જ અનુષ્ઠાન કરવામાં આવે તે તીર્થકર નામ કર્મ બંધાય છે. (૧૫) ત્યાગ–ત્યાગનો અર્થ દાન છે. દાન બે પ્રકારના છે—અભયદાન અને સુપાત્રદાન પિતાની તરફથી ભય ઉત્પન્ન ન કરે, બીજે કઈને જે ભયભીત કરી રહ્યો હોય, મારતો હોય અથવા કોઈ મરી રહ્યો હોય ત્યારે તેનું રક્ષણ કરવું અભયદાન છે. અભયદાન અહીં કરુણા દાનનું ઉપલક્ષણ છે. મહાવ્રતધારી મુનિઓને તથા પ્રતિસાધારી શ્રાવકને દાન આપવું સુપાત્રદાન કહેવાય છે. આ કથન ઉપલક્ષણ માત્ર છે આથી ચતુર્વિધ સંઘને સુખશાતા ઉપજાવવી એ જ સુપાત્રદાન સમજવું જોઈએ. (૧૬) વૈયાવૃત્ય-આચાર્ય, ઉપાધ્યાય વગેરેની નિર્મળ ભાવથી સેવા ચાકરી કરવી વૈયાવૃત્ય છે. (૧૭) સમાધિ–બધાં ને સુખ ઉપજાવવું તથા સંઘ અને શ્રમણની સમાધિ અને વૈયાવૃત્ય કરવાથી પણ તીર્થંકરનામ કર્મ બંધાય છે. સંઘને અર્થ છે સમ્યક્ દશ”ન જ્ઞાન અને શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy