SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ કર્મપ્રકૃતિએને સ્થિતિબંધનું નિરૂપણ ૧૯૯ તત્વાર્થદીપિકા આની પહેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠ મૂળ પ્રકૃતિનું સામાન્ય રૂપથી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ કહેવામાં આવ્યો છે હવે વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ કહીએ છીએ. | વેદનીય રૂપ (સાંપરાઈક સાતવેદનીય) મૂળ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ બાર મુહુની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાકોડી સાગરોપમની કહેવામાં આવી છે કે ૧૮ તત્વાર્થનિર્યુક્તિ–પહેલા મૂળ કર્મપ્રકૃતિઓને સામાન્ય રૂપથી સ્થિતિકાળ કહેવામાં આવ્યું છે. હવે વેદનીયની સ્થિતિનું પ્રરૂપણ કરવામાં આવે છે – વેદનીય કર્મ (સાંપરાઈક સાતવેદનીય)ની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. આને અબાધાકાળ અન્તર્મુહૂર્ત છે ૧૮ 'नामगोत्ताणं अहमुहुत्ता ठिई जहणिया' ॥१९॥ સૂત્રાર્થનામ કર્મ અને બેત્ર કમની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની હોય છે. ૧લા તવાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં વેદનીય કર્મની સ્થિતિ કહેવામાં આવી છે હવે નામ અને ગોત્ર કમની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–નામ અને ગેત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠમુહૂર્તની જે. આને અબાધાકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. જે ૧૯ છે તત્વાર્થનિર્યુકિત–પહેલા વેદનીય કમની સ્થિતિની પ્રરૂપણ કરવામાં આવી હવે નામ અને ગોત્ર રૂપ મૂળ પ્રકૃતિઓનું પ્રતિપાદન કરીએ છીએ– નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત પ્રમાણ છે. ભગવતી સૂત્ર શતક ૬ ઉદ્દેશક ૩ માં કહ્યું છે—નામ અને ગેત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે કે ૧૯ 'सेसाणं अतो मुहुत जहणिया ॥२०॥ સવાથ–શેષ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. જે ૨૦ તત્વાર્થદીપિકા–આનાથી અગાઉના બે સૂત્રમાં વેદનીય, નામ અને ગોત્ર કર્મ રૂપ પ્રકૃતિઓની સ્થિતિનું બયાન કરવામાં આવ્યું છે હવે શેષ પાંચ જ્ઞાનાવરણ આદિ રૂપ મૂળપ્રકૃતિની સ્થિતિ કહીએ છીએ શેષ અર્થાત પૂર્વોક્ત વેદનીય, નામ અને ગોત્ર કર્મથી અતિરિત જ્ઞાનાવરણ દર્શનાવરણ, મેહનીય, આયુષ્ય અને અન્તરાય કમ રૂપ મૂળ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર પ્રમાણ છે કે ૨૦ - તવાર્થનિયુકિત–પહેલા વેદનીય નામ અને ગોત્ર રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિ પ્રતિપાદન કરવામાં આવી છે હવે બાકીની જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ મૂળ પ્રકૃતિઓની સ્થિતિનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ– શેષ અર્થાત્ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ મેહનીય આયુષ્ય અને અન્તરાય કમેની મૂળ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્ર છે. અબાધાકાળ પણ અન્તર્મહત્ત હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૩ મા અધ્યયનની ગાથા ૧૯-૨૨ માં કહ્યું છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે . ૨૦ 'कम्माणं विवागो अणुभावो' ॥२१॥ સુત્રાર્થ-કર્મોના વિપાક-ફળ અનુભાવ કહેવાય છે કે ૨૧ શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy